AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંચીયો કોન્સ્ટેબલ : વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

વરાછા પોલીસ સ્ટેશનના સ્ટાફએ દારૂ સાથે ફરીયાદીને પકડેલ અને પોલીસ મથકમાં  લઇ ગયા હતા.  તેમજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના પિતાશ્રીને ફોન કરી બોલાવેલ તેઓને પણ સર્વેલન્સ સ્ટાફની ઓફીસમાં બેસાડી રાખ્યા હતા.  અને જે તે વખતે રૂપીયા 2 લાખ ની લાંચની માંગણી કરી હતી. 

લાંચીયો કોન્સ્ટેબલ : વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો
A constable of Varachha police station was caught taking a bribe of Rs 20,000(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:59 AM
Share

દારૂ (Alcohol ) સાથે પકડાયેલા રત્નકલાકારને કનડગત નહીં કરવા 1.45 લાખ પડાવી લીધા બાદ વધુ 20 હજારની લાંચ (Bribe )માગનાર વરાછાનો પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા એસીબીના હાથે ઝડપાયો હતો . વિગત મુજબ , રત્નકલાકાર(Diamond Worker) તરીકે કામ કરવા ઉપરાંત છૂટક દારૂ વેચતાં આધેડ 13 મી માર્ચે રેલવે સ્ટેશન પર દારૂ લેવા ગયો હતો .વિદેશી દારૂની ત્રણ પેટી લઇ રેલ્વે સ્ટેશન બહાર આવેલ રેલ્વે કોલોનીમાં આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આરોપી હેડ કોન્સ્ટેબલરામદેવસિહ દાદુભા તથા વરાછા પોલીસ સ્ટેશનના સ્ટાફએ દારૂ સાથે ફરીયાદીને પકડેલ અને પોલીસ મથકમાં  લઇ ગયા હતા.  તેમજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના પિતાશ્રીને ફોન કરી બોલાવેલ તેઓને પણ સર્વેલન્સ સ્ટાફની ઓફીસમાં બેસાડી રાખ્યા હતા.  અને જે તે વખતે રૂપીયા 2 લાખની લાંચની માંગણી કરી હતી.

પરંતુ રકઝકના અંતે રૂ .1.50,000 આપવાનું નકકી થયું હતું અને ફરીયાદીના પિતા પાસે દારૂ સાથે ઝડપાયેલા રત્નકલાકારને કનડગત નહીં કરવા માટે 1.45 લાખ પડાવી લીધા બાદ વધુ 20 હજારની લાંચ માંગવામાં આવી હતી. જે તે વખતે રૂપિયા 1 લાખ રૂપિયા આરોપી કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાએ લીધા હતા અને ફરીયાદીના પિતાને જવા દીધા હતા. તે પછી ફરીયાદી ઉપર દારૂનો કેસ કરેલ અને બીજા દિવસે કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર છૂટ્યા હતા.

તે દિવસે સાંજના ફરીયાદીના પિતાના મોબાઇલ નંબર ઉપર આરોપીના રીક્ષા ડ્રાઇવર અશોકભાઇ મારફતે ફોન કરાવી બાકી નીકળતા રૂપીયાની માંગણી કરતા ફરીયાદીએ આરોપીના મળતીયા રીક્ષા ડ્રાઇવર અશોકભાઇને રૂપીયા 45,000 આપ્યા હતા. . ત્યારબાદ પણ કોન્સ્ટેબલ રામદેવસિંહ દાદુભાએ ફરીયાદી પાસે રૂપીયા 5 હજાર તથા આ ગુનામાં નામ નહિ ખોલવા રૂપીયા 15 હજાર મળી કુલ રૂપીયા 20 હજાર  ની લાંચની માંગણીકરી હતી .

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય , તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. . જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી , ફરીયાદી પાસેથી રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી . જે રકમ માતાવાડી ચારરસ્તા જાહેર રોડ પર , ચિરંજીવી કોમ્પ્લેક્ષની સામે , વરાછા , સુરત ખાતે લાંચ સ્વીકારતાં કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા ઝડપાયો હતો .

આ કાર્યવાહી એસીબી સુરતના મદદનીશ નિયામક એન . પી . ગોહિલના નિરીક્ષણ હેઠળ વલસાડ , ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી . એમ . વસાવા તથા પોલીસ ઇન્સપેક્ટર એ . આર . સક્સેના તથા સ્ટાફ દ્વારા પાર પડાઇ હતી .

આ પણ વાંચો :

Surat : ગ્રીષ્મા હત્યા કેસને લઇને સુરતના નાટ્ય કલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ નાટક તૈયાર કર્યું

Surat : સ્મીમેર હોસ્પિટલ રેગિંગ પ્રકરણ : તપાસ કમિટી દ્વારા ભોગ બનનાર જુનિયર ડોક્ટર્સનું સ્ટેટમેન્ટ લેવાયું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">