AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શહેરમાં કુલ 7.62 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી, સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1.76 લાખથી વધુ લોકો બાકી

વેકસીનના બંને ડોઝ પુરા કરવા માટે કોર્પોરેશન દ્વારા તેલના પાઉચ અને મોબાઇલ સહિતની અનેક યોજનાઓ જાહેર કરવામાં હતી. જેમાં બંને ડોઝ લેનારને તેલના પાઉચ આપવાની યોજના હજી યથાવત છે.

Ahmedabad: શહેરમાં કુલ 7.62 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી, સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1.76 લાખથી વધુ લોકો બાકી
Corona Vaccination (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 5:14 PM
Share

દેશમાં કોરોનાના કેસ (Corona Case) ફરી એક વાર વધી રહ્યા છે. તેમજ નવા વેરિયન્ટને પગલે પણ ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં (Gujarat) પણ કોરોનાના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઇ છે. છતાં અમદાવાદ શહેરમાં હજી ઘણા લોકો છે કે જેમણે કોરોના રસીનો (Vaccination) બીજો ડોઝ લીધો નથી. અમદાવાદ શહેરમાં હજી પણ 7.62 લાખ લોકો રસીનો બીજો ડોઝ લીધા વિના જ ફરી રહ્યા છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ઘણા લોકો એવા છે કે જેઓ બીજો ડોઝ લેવાની તસ્દી લઈ રહ્યા નથી.

આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં દક્ષિણ ઝોન સૌથી વધુ 1 લાખ 76 હજાર 992 લોકો એવા છે કે જેમણે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધો નથી. વેકસીનના બંને ડોઝ પુરા કરવા માટે કોર્પોરેશન દ્વારા તેલના પાઉચ અને મોબાઇલ સહિતની અનેક યોજનાઓ જાહેર કરવામાં હતી. જેમાં બંને ડોઝ લેનારને તેલના પાઉચ આપવાની યોજના હજી યથાવત છે. જેનો લોકો લાભ લઈ શકે છે. બીજીબાજુ જાહેર સ્થળો અને એએમટીએસ તથા બીઆરટીએસમાં બે ડોઝ લીધા હોય તેનેજ પ્રવેશ આપવાનો નિયમ હતો. જેમાં વેક્સીનનું સર્ટિફિકેટ થોડા દિવસ ચેક કરાયું જે બાદ કોઈ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું નથી.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

મહત્વનું છે કે ગુજરાતમાં વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.

મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવવ્યો હતો. ત્યારે તેમના રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Hanuman Jayanti 2022 Highlights: દેશભરમાં ઉત્સાહભેર ઉજવાયો હનુમાનજીનો જન્મોત્સવ, PM મોદીએ મોરબી ખાતે 108 ફુટની પ્રતિમાંનું કર્યુ અનાવરણ

આ પણ વાંચો-Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">