AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus in Delhi: દિલ્લીમાં વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા નવા 7,498 કેસ

દિલ્હીમાં સંક્રમણનો દર વધીને 10.59 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 70,804 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 11,164 દર્દીઓ સાજા થયા છે.

Coronavirus in Delhi: દિલ્લીમાં વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા નવા 7,498 કેસ
Slight increase in Coronavirus Cases in Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 8:16 PM
Share

દિલ્હીમાં (Delhi) ફરી એકવાર કોરોના વાયરસના (Coronavirus) કેસમાં ઉછાળો આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 26 જાન્યુઆરીએ 7,498 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 25 જાન્યુઆરીએ 6,028 નવા કેસ સામે આવ્યા હતા, જે લગભગ દોઢ હજાર વધુ છે. સંક્રમણ દર પણ 10.55 ટકાથી વધીને 10.59 થયો છે. જોકે મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. 26 જાન્યુઆરીએ 29 દર્દીઓના મોત થયા જ્યારે મંગળવારે 31 દર્દીઓના મોત થયા હતા.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 70,804 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 11,164 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ સક્રિય કેસ 38,315 છે, જેમાંથી 28,733 હોમ આઇસોલેશનમાં છે અને કોરોનાના 1887 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. દિલ્હીમાં કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 43,662 છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 25,710 લોકોના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 11.7 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,85,914 નવા કેસ નોંધાયા છે, જેનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 40,085,116 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2,99,073 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. અત્યાર સુધીમાં 3,73,70,971 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 93.23 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં, 665 મૃત્યુ નોંધાયા છે, જે પછી દેશમાં કુલ મૃત્યુઆંક 491,127 પર પહોંચી ગયો છે.

કેરળમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે રાજ્યમાં કોવિડની સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55,475 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 70 લોકોના મોત થયા છે. કેરળમાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.  કેરળમાં કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 2,85,365 થઈ ગઈ છે. કોવિડ 19ની શરૂઆત પછી આ પ્રથમ વખત છે જ્યારે રાજ્યમાં નવા કેસની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. સોમવારે ફક્ત 26514 કેસ આવ્યા. જો કે, એવું માનવામાં આવે છે કે સપ્તાહના અંતે ઓછા નમૂનાઓને કારણે કેસમાં ઘટાડો થયો હતો.

આ પણ વાંચો –

Bhavnagar: 75 ટકા કિશોરોના રસીકરણ પછી હવે કોર્પોરેશન હાંફ્યુ, અન્ય 25 ટકા કિશોરોની રસી લેવામાં નિરસતા

આ પણ વાંચો –

Covid 19 Update: દેશમાં કોરોનાના કુલ કેસ 4 કરોડને પાર, ત્રીજી લહેરમાં 50 લાખથી વધુ લોકો થયા સંક્રમિત

આ પણ વાંચો –

Panchmahal: પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો, નિવાસસ્થાને સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">