કોરોના કાળમાં દર ચારમાંથી એક વ્યક્તિએ ઉધાર લઈને ગુજરાન ચલાવ્યું, આર્થિક સંસ્થાના સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો
કોવિડ -19 અને લોકડાઉનથી અર્થતંત્ર અને સમાજના લોકો પર મોટી અસર પડી છે. નીચલા મધ્યમ આવક જૂથને નોકરીમાંથી છટણી અને વેતનના કાપ સાથે ભારે અસર પહોંચી છે. કોરોના કટોકટી દરમિયાન લોકોને ઘરના ખર્ચ માટે તેમના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં લેવા પડ્યા છે તેવો હોમ ક્રેડિટ ઇન્ડિયાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ […]
હોમ ક્રેડિટ ઇન્ડિયાએ કોવિડ અને લોકડાઉન દરમિયાન લોકોની ઉધાર લેવાની પેટર્નને સમજવા માટે 7 શહેરોના લોકોની જીવનશૈલી પર સંશોધન કર્યું હતું. સંશોધન સાથે સંકળાયેલા 46 ટકા લોકોએ પોતાનું ઘર ચલાવવા માટે મુખ્યત્વે પૈસા ઉધાર લીધા હતા. આ પગલાં પાછળ મોટું કારણ પગારમાં ઘટાડો અને પગારમાં વિલંબ હતો. 27 ટકા લોકોએ લોનમાંથી માસિક હપ્તાની ચુકવણીને ઉધારી પાછળનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. નોકરીમાંથી છુટા થવાના કારણે 14 ટકા લોકોએ જીવન ટકાવી રાખવા માટે ઉધારીનો સહારો લીધો છે
અહેવાલમાં જણાવાયું છે કે 27 ટકા લોકોએ નોકરી છોડ્યા પછી તેમના EMI ચૂકવવા પૈસા ઉધાર લીધા છે. ઉધાર લેવાની બાબતમાં મુંબઇ અને ભોપાલમાં સૌથી વધુ લોકો છે. અહીં 27 ટકા લોકોએ પોતાનું ઘર ચલાવવા પૈસા ઉધાર લીધા હતા. બીજા ક્રમે દિલ્હીમાં 26 ટકા અને પટનામાં 25 ટકા લોકોએ ત્રીજા ક્રમે ઘર ચલાવવા પૈસા ઉધાર લીધા છે.રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 માં પણ 46 ટકા લોકોએ ઉધાર લીધું હતું. બંને વર્ષની સરખામણી કરવામાં આવે તો ઉધારી પાછળનો હેતુ ખુબ અલગ છે. ગતવર્ષે 33 ટકા લોકોએ તેમની જીવનશૈલીનું સ્તર વધારવા માટે ઉધાર લીધા હતા જ્યારે માત્ર ૧૩ ટકા લોકોએ પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉધાર લીધા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો