AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

શુક્રવાર સુધીમાં શહેરના 92 લાખ 35 હજાર 708 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે બીજા 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળી જાશે. સાથે આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.

મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Vaccination (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 2:58 PM
Share

Maharashtra : કોરોના વેક્સિનેશનમાં મુંબઈ (Mumbai) આજે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યુ છે. શુક્રવારે શહેરમાં 92 લાખ 35 હજાર 708 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે આજે 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળી જશે. આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.

કોરોના વેક્સિનેશન અભિયાનમાં મુંબઈનો ડંકો

તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શુક્રવારે જ 99.99 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ (Vaccine Dose) આપવામાં આવ્યો છે. મુંબઈ દરરોજ વેક્સિનના 2 લાખ ડોઝ આપવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ જેવા મહાનગરોની સરખામણીમાં મુંબઈ રસીકરણના અભિયાનમાં (Vaccination campaign) આગળ છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્ર બીજા ડોઝ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 65 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

ભારતમાં આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે

જો દેશના રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પાત્રતા ધરાવતા 80 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમજ 38 ટકા લોકોને રસીનો બીજો ડોઝ પણ મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Department) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગ્નાનીએ ‘હર ઘર દસ્તક’ અભિયાન સાથે સંબંધિત વેબિનારમાં જણાવ્યુ હતુ કે, 30 નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી જાય તે સરકારનું લક્ષ્ય છે.

ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ગુરુવારે તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોને ‘હર ઘર દસ્તક’ અભિયાન અંતર્ગત રાજ્યોમાં પુખ્ત વસ્તીને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે બીજા ડોઝ અંગેની વ્યવસ્થા વધારવા પણ સુચન કર્યુ હતુ.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">