AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની પ્રથમ કોરોના દર્દી તેના ‘સ્વપ્ન’ પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ

ભારતનો પહેલો કોરોના દર્દી બે વર્ષ પહેલા રજા પર પોતાના ઘરે પરત ફર્યો હતો અને 30 જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે થ્રિસુર મેડિકલ કોલેજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધી અને 20 ફેબ્રુઆરી 2020 ના રોજ તેને રજા આપવામાં આવી.

ભારતની પ્રથમ કોરોના દર્દી તેના 'સ્વપ્ન' પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ
Deltacron Symbolic photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 10:34 AM
Share

First Corona Patient : ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus)થી ચેપનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 ના રોજ દક્ષિણ ભારતના કેરળ (Kerala) રાજ્યમાં નોંધાયો હતો. આ ખતરનાક વાયરસના ચેપનો પ્રથમ શિકાર એક 20 વર્ષની છોકરી હતી, જે 25 જાન્યુઆરી 2020ના રોજ ચીનના વુહાન શહેરથી પરત આવી હતી. વુહાન (Wuhan) એ જ શહેર છે જ્યાં કોરોના (Corona)નો પહેલો કેસ નોંધાયો હતો. પ્રથમ કોરોના દર્દી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે અને તે ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે. તેણે હવે વુહાન પાછા જઈને અભ્યાસ પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે સરકારને મદદ કરવાની અપીલ પણ કરી છે.

તેના પિતા કહે છે, ‘હાલમાં કોવિડને મેનેજ કરી શકાય છે. આ કારણે મારી દીકરી વુહાન જઈને તેનો કોર્સ પૂરો કરવા માંગે છે. તેના પિતા જણાવે છે કે, તેમની દીકરી ભૂતકાળને ભૂલીને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન અભ્યાસ કરી રહી છે. તેણે એમબીબીએનો અભ્યાસક્રમ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કર્યો હતો. પરંતુ હવે તેણે યુનિવર્સિટીના નિયમો અનુસાર 52 અઠવાડિયાનો ઈન્ટર્નશિપ કોર્સ પૂર્ણ કરવાનો છે.

થ્રિસુર મેડિકલ કોલેજમાં પ્રથમ કોરોના દર્દીની સારવાર કરવામાં આવી હતી

ભારતનો પહેલો કોરોના દર્દી બે વર્ષ પહેલા રજા પર પોતાના ઘરે પરત ફર્યો હતો અને 30 જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેણે થ્રિસુર મેડિકલ કોલેજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધી અને 20 ફેબ્રુઆરી 2020ના રોજ તેને રજા આપવામાં આવી. તે કોરોનાથી સાજી થઈ ગઈ હતી, પરંતુ લગભગ દોઢ વર્ષ પછી તે ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. આ પહેલો કેસ નથી જ્યારે કોઈ ફરીથી કોરોના સંક્રમિત થયો હોય. દેશ અને દુનિયામાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે કોઈ વ્યક્તિ કોરોનામાંથી સાજા થયા પછી ફરીથી કોરોના સંક્રમિત થાય છે.

ભારતમાં 12 માર્ચ 2020ના રોજ કોરોનાથી પ્રથમ મૃત્યુ

ભારતમાં કોરોના વાયરસના ચેપને કારણે પ્રથમ મૃત્યુ 12 માર્ચ 2020ના રોજ કર્ણાટકના કાલબુર્ગીમાં થયું હતું. ત્યારબાદ એક 76 વર્ષીય વ્યક્તિ સાઉદી અરેબિયાથી ભારત પરત ફર્યો હતો. સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ તેણે શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ન્યુમોનિયાની ફરિયાદ હતી. 6 માર્ચે સ્થાનિક ડૉક્ટરે તેમના ઘરે તેમની સારવાર કરી હતી. જો કે, બગડતી તબિયતને કારણે વ્યક્તિને 9 માર્ચે કલબુર્ગીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પ્રારંભિક તપાસમાં તે કોરોના વાયરસથી સંક્રમિત જણાયો હતો. 10 માર્ચે તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચો: Mahatma Gandhi Death Anniversary: જ્યાં સત્ય છે ત્યાં બાપુ જીવિત છે, હિન્દુત્વવાદીઓ માને છે કે તેઓ નથી રહ્યા – રાહુલ ગાંધી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">