કેન્દ્ર સરકારે 31મી જાન્યુઆરી સુધી કોરોનાને લગતી માર્ગદર્શિકા યથાવત રાખી
કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને લઈ કન્ટેન્મેન્ટ ઝોન, સાવધાનીઓ અને સર્વિલાન્સ માટે પહેલા જાહેર કરેલા દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધા છે.
કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને લઈ કન્ટેન્મેન્ટ ઝોન, સાવધાનીઓ અને સર્વિલાન્સ માટે પહેલા જાહેર કરેલા દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધા છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોવિડ-19ના નવા અને સક્રિય કેસમાં સતત ઘટાડો થયો છે.
MHA extends Guidelines for Surveillance, Containment and Caution
Press release- https://t.co/LGuuxEKXQF#IndiaFightsCorona
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) December 28, 2020
ત્યારે બ્રિટેનમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટ મળવાને લઈ અને દુનિયાભરમાં વધતા સંક્રમણને જોતા સર્વિલાન્સ, કન્ટેન્મેન્ટ અને સાવધાનીઓને પહેલાની જેમ રાખવાની જરૂરિયાત છે. કોરોના વાઈરસથી જોડાયેલા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવું પડશે. તેથી ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન્સનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક રીતે લાગૂ કરવાની જરૂરિયાત છે.
આ પણ વાંચો: સુરત: રાંદેર જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો કેસ, પોલીસ કમિશનરે રાંદેર પોલીસ મથકના PIને કર્યા સસ્પેન્ડ