Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વિધાનસભા ચૂંટણી કોવિડ-19 માટે સુપર સ્પ્રેડર સાબિત થશે? પાંચ ચૂંટણી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો હાલની સ્થિતિ

દેશમાં જ્યાં સોશીયલ ડીસ્ટેન્સનું પાલન કરાવવું એક પડકાર છે. માસ્ક અને વેન્ટિલેશન વિશે પણ કોઈ જાગૃતિ નથી. આવી સ્થિતિમાં, વાયરસની વધતી ઝડપને કારણે, વિધાનસભાની ચૂંટણી કોરોનાની સુપર સ્પ્રેડર ઘટના સાબિત થઈ શકે છે.

શું વિધાનસભા ચૂંટણી કોવિડ-19 માટે સુપર સ્પ્રેડર સાબિત થશે? પાંચ ચૂંટણી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો હાલની સ્થિતિ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 6:36 AM

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે કોરોના વાયરસના (Corona virus)  1,94,720 નવા કેસ નોંધાયા હતા. જ્યારે, સક્રિય કેસોની સંખ્યા પણ 9.55 લાખને વટાવી ગઈ છે. ત્રીજા લહેરમાં, સક્રિય કેસ પ્રથમ વખત 9 લાખના આંકડાને પાર કરી ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યો પરેશાન છે, જ્યાં પોઝીટીવીટી રેટ ઘણો વધારે છે. આજે પણ દિલ્હીમાં કોરોનાના 27,561 નવા કેસ નોંધાયા છે અને 40 લોકોના મોત થયા છે અને સંક્રમણનો દર પણ 26.22 ટકા પર પહોંચી ગયો છે. પરંતુ ખરી ચિંતા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને છે.

એક તરફ 5 રાજ્યોમાં ચૂંટણીના માહોલની સાથે કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે, 15 જાન્યુઆરી પછી અને ફેબ્રુઆરી સુધી કોરોનાની લહેર ચાલશે. આ તે સમય હશે જ્યારે પાંચ રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં ચૂંટણી યોજાશે. દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. એવા દેશમાં જ્યાં સોશીયલ ડીસ્ટેન્સનું પાલન કરાવવું એક પડકાર છે. માસ્ક અને વેન્ટિલેશન વિશે પણ કોઈ જાગૃતિ નથી. ઉપરાંત, જીનોમ સિક્વન્સિંગ અને તપાસ માટે પૂરતી સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં, વાયરસની વધતી ઝડપને કારણે, વિધાનસભાની ચૂંટણી કોરોનાની સુપર સ્પ્રેડર ઘટના સાબિત થઈ શકે છે.

ઉત્તર પ્રદેશ

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય કેસોમાં ઝડપથી વધારો થયો છે. 2 જાન્યુઆરીએ અહીં કોરોનાના સક્રિય કેસ 1,725 ​​હતા, જ્યારે 11 જાન્યુઆરીએ વધીને 44 હજાર થઈ ગયા. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં સક્રિય કેસોમાં 20 ગણો વધારો થયો છે. બીજી તરફ રસીકરણની ઝડપ અંગે ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં, રાજ્યની માત્ર 53 ટકા વસ્તીને જ બંને ડોઝ મળ્યા છે. બુધવારે રાજ્યમાં 13,681 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી. જોકે, હજુ સુધી ઉત્તર પ્રદેશમાં દર્દીઓને લઈને ગભરાટનું વાતાવરણ નથી. પરંતુ છેલ્લા 11 દિવસમાં જે રીતે દર્દીઓમાં વધારો થયો છે તે દર્શાવે છે કે ચૂંટણીવાળા રાજ્યોમાં ભવિષ્ય ભયાવહ બની શકે છે.

પંજાબ

ઉત્તર પ્રદેશની સાથે પંજાબમાં પણ કોરોનાના સક્રિય કેસોમાં ભારે વધારો થયો છે. પંજાબમાં છેલ્લા 11 દિવસમાં સક્રિય કેસ 1369 થી વધીને 19,379 થઈ ગયા છે. સક્રિય કેસોમાં 14 ગણાથી વધુનો વધારો થયો છે. ઓક્સિજન સપોર્ટ પર જતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, ઘણા દર્દીઓ વેન્ટિલેટર પર પણ છે. આ માત્ર આંકડા નથી…એ જણાવવા માટે પુરતું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે. રાજ્યની સ્થિતિ પણ ચિંતાજનક છે કારણ કે પંજાબમાં બંને રસી મેળવનારા લોકોની સંખ્યા દેશમાં સૌથી ઓછી છે.

ગોવા

ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પરંતુ ત્યાં કોરોના સંક્રમણનો દર અત્યારથી જ ચિંતાજનક સ્તર કરતા ઘણો વધારે છે. ગોવામાં, જાન્યુઆરીના 11 દિવસમાં જ એક્ટિવ કેસનો આંકડો 1,671થી 14 હજારને વટાવી ગયો છે. બુધવારે, રાજ્યમાં સંક્રમણના 3,119 નવા કેસ નોંધાયા હતા અને પોઝીટીવીટી રેટ 31.84 ટકા નોંધાયો હતો. જ્યારે સંક્રમણને કારણે બે લોકોના મોત પણ થયા છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં પણ કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં 11 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 506 થી વધીને 5,009 થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં, આ સ્થિતિ ત્યારે છે જ્યારે રાજ્યના 85 ટકાથી વધુ લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની વધતી જતી ગતિ વચ્ચે બુધવારે 2,915 નવા દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જે છેલ્લા 8 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા કોવિડ દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. અગાઉ, ગયા વર્ષે 26 મેના રોજ રાજ્યમાં 2,991 કેસ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓના પણ મોત થયા હતા.

મણિપુર

ચાર રાજ્યોની તુલનામાં મણિપુરમાં કોરોનાના કેસ ઓછા છે. જો કે, અહીં પણ નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે. બુધવારે રાજ્યમાં 206 નવા કેસ નોંધાયા હતા, જે મંગળવાર (106 કેસ) ની તુલનામાં બમણા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે નવા કેસોમાં 66 સુરક્ષા દળોના જવાનો છે. જ્યારે પોઝીટીવીટી રેટ પણ વધીને 8.6 ટકા થઈ ગયો છે, જે એક દિવસ પહેલા 5.1 ટકા હતો. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 736 થઈ ગઈ છે.

આ પણ વાંચો :  UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું ‘5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય’

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">