શું વિધાનસભા ચૂંટણી કોવિડ-19 માટે સુપર સ્પ્રેડર સાબિત થશે? પાંચ ચૂંટણી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો હાલની સ્થિતિ

દેશમાં જ્યાં સોશીયલ ડીસ્ટેન્સનું પાલન કરાવવું એક પડકાર છે. માસ્ક અને વેન્ટિલેશન વિશે પણ કોઈ જાગૃતિ નથી. આવી સ્થિતિમાં, વાયરસની વધતી ઝડપને કારણે, વિધાનસભાની ચૂંટણી કોરોનાની સુપર સ્પ્રેડર ઘટના સાબિત થઈ શકે છે.

શું વિધાનસભા ચૂંટણી કોવિડ-19 માટે સુપર સ્પ્રેડર સાબિત થશે? પાંચ ચૂંટણી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો હાલની સ્થિતિ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 6:36 AM

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે કોરોના વાયરસના (Corona virus)  1,94,720 નવા કેસ નોંધાયા હતા. જ્યારે, સક્રિય કેસોની સંખ્યા પણ 9.55 લાખને વટાવી ગઈ છે. ત્રીજા લહેરમાં, સક્રિય કેસ પ્રથમ વખત 9 લાખના આંકડાને પાર કરી ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યો પરેશાન છે, જ્યાં પોઝીટીવીટી રેટ ઘણો વધારે છે. આજે પણ દિલ્હીમાં કોરોનાના 27,561 નવા કેસ નોંધાયા છે અને 40 લોકોના મોત થયા છે અને સંક્રમણનો દર પણ 26.22 ટકા પર પહોંચી ગયો છે. પરંતુ ખરી ચિંતા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને છે.

એક તરફ 5 રાજ્યોમાં ચૂંટણીના માહોલની સાથે કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે, 15 જાન્યુઆરી પછી અને ફેબ્રુઆરી સુધી કોરોનાની લહેર ચાલશે. આ તે સમય હશે જ્યારે પાંચ રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં ચૂંટણી યોજાશે. દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. એવા દેશમાં જ્યાં સોશીયલ ડીસ્ટેન્સનું પાલન કરાવવું એક પડકાર છે. માસ્ક અને વેન્ટિલેશન વિશે પણ કોઈ જાગૃતિ નથી. ઉપરાંત, જીનોમ સિક્વન્સિંગ અને તપાસ માટે પૂરતી સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં, વાયરસની વધતી ઝડપને કારણે, વિધાનસભાની ચૂંટણી કોરોનાની સુપર સ્પ્રેડર ઘટના સાબિત થઈ શકે છે.

ઉત્તર પ્રદેશ

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય કેસોમાં ઝડપથી વધારો થયો છે. 2 જાન્યુઆરીએ અહીં કોરોનાના સક્રિય કેસ 1,725 ​​હતા, જ્યારે 11 જાન્યુઆરીએ વધીને 44 હજાર થઈ ગયા. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં સક્રિય કેસોમાં 20 ગણો વધારો થયો છે. બીજી તરફ રસીકરણની ઝડપ અંગે ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં, રાજ્યની માત્ર 53 ટકા વસ્તીને જ બંને ડોઝ મળ્યા છે. બુધવારે રાજ્યમાં 13,681 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી. જોકે, હજુ સુધી ઉત્તર પ્રદેશમાં દર્દીઓને લઈને ગભરાટનું વાતાવરણ નથી. પરંતુ છેલ્લા 11 દિવસમાં જે રીતે દર્દીઓમાં વધારો થયો છે તે દર્શાવે છે કે ચૂંટણીવાળા રાજ્યોમાં ભવિષ્ય ભયાવહ બની શકે છે.

પંજાબ

ઉત્તર પ્રદેશની સાથે પંજાબમાં પણ કોરોનાના સક્રિય કેસોમાં ભારે વધારો થયો છે. પંજાબમાં છેલ્લા 11 દિવસમાં સક્રિય કેસ 1369 થી વધીને 19,379 થઈ ગયા છે. સક્રિય કેસોમાં 14 ગણાથી વધુનો વધારો થયો છે. ઓક્સિજન સપોર્ટ પર જતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, ઘણા દર્દીઓ વેન્ટિલેટર પર પણ છે. આ માત્ર આંકડા નથી…એ જણાવવા માટે પુરતું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે. રાજ્યની સ્થિતિ પણ ચિંતાજનક છે કારણ કે પંજાબમાં બંને રસી મેળવનારા લોકોની સંખ્યા દેશમાં સૌથી ઓછી છે.

ગોવા

ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પરંતુ ત્યાં કોરોના સંક્રમણનો દર અત્યારથી જ ચિંતાજનક સ્તર કરતા ઘણો વધારે છે. ગોવામાં, જાન્યુઆરીના 11 દિવસમાં જ એક્ટિવ કેસનો આંકડો 1,671થી 14 હજારને વટાવી ગયો છે. બુધવારે, રાજ્યમાં સંક્રમણના 3,119 નવા કેસ નોંધાયા હતા અને પોઝીટીવીટી રેટ 31.84 ટકા નોંધાયો હતો. જ્યારે સંક્રમણને કારણે બે લોકોના મોત પણ થયા છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં પણ કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં 11 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 506 થી વધીને 5,009 થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં, આ સ્થિતિ ત્યારે છે જ્યારે રાજ્યના 85 ટકાથી વધુ લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની વધતી જતી ગતિ વચ્ચે બુધવારે 2,915 નવા દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જે છેલ્લા 8 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા કોવિડ દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. અગાઉ, ગયા વર્ષે 26 મેના રોજ રાજ્યમાં 2,991 કેસ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓના પણ મોત થયા હતા.

મણિપુર

ચાર રાજ્યોની તુલનામાં મણિપુરમાં કોરોનાના કેસ ઓછા છે. જો કે, અહીં પણ નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે. બુધવારે રાજ્યમાં 206 નવા કેસ નોંધાયા હતા, જે મંગળવાર (106 કેસ) ની તુલનામાં બમણા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે નવા કેસોમાં 66 સુરક્ષા દળોના જવાનો છે. જ્યારે પોઝીટીવીટી રેટ પણ વધીને 8.6 ટકા થઈ ગયો છે, જે એક દિવસ પહેલા 5.1 ટકા હતો. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 736 થઈ ગઈ છે.

આ પણ વાંચો :  UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું ‘5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય’

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">