AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Updates: કોરોનાના નવા કેસમાં ક્રમશ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

જો આપણે કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,84,66,86,260 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

Corona Updates:  કોરોનાના નવા કેસમાં ક્રમશ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:00 AM
Share

Corona Updates:  છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Covid-19) ના 1,096 નવા કેસ નોંધાયા છે અને 1,447 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે કોરોનાને કારણે 81 લોકોના મોત થયા છે.નવા આંકડા સાથે કોરોનાના કુલ 4,30,28,131 કેસ નોંધાયા છે. તેમજ મૃત્યુનો કુલ આંકડો 5,21,345 પર પહોંચી ગયો છે. દેશમાં 13,013 સક્રિય કેસ (Active Case In India)છે અને કુલ 4,24,93,773 રિકવર થયા છે. જો આપણે કોરોના રસીકરણની (Corona Vaccination) વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,84,66,86,260 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

 184 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 184 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે 12 લાખ 75 હજાર 495 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 184 કરોડ 66 લાખ 86 હજાર 260 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 કરોડ થી વધુ નિવારક રસીઓ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. શનિવારે કોરોનાના 1,260 નવા કેસ નોંધાયા હતા, 1,404 લોકોને રજા આપવામાં આવી હતી અને 83 લોકો મૃત્યુ પામ્યા હતા.

માસ્ક પહેરવા વિશે ચર્ચા

કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન માસ્ક પહેરવા પર ઈન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી, દિલ્હીના ડિરેક્ટરે ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું, “જ્યારે ચેપનો દર ઓછો હોય, ત્યારે માસ્ક પહેરવાનો કોઈ અર્થ નથી. માસ્કથી દૂર રહેવાનો આ યોગ્ય સમય છે. ” જો કે, તેમણે બંધ સ્થળોએ માસ્ક પહેરવા જરૂરી બતાવ્યુ છે.સાથે તેમણે જણાવ્યું કે, ખાસ કરીને વૃદ્ધો અને બીમાર લોકો જેઓ ચેપનું જોખમ વધારે છે.

આ પણ વાંચો : Corona Vaccine: WHOએ કોવેક્સિનના સપ્લાય પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો : કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">