AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 2593 નવા કેસ, 44 સંક્રમિતોના મોત, 700થી વધુ એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં, 794 સક્રિય કેસ નોંધાયા છે, જે પછી કુલ સક્રિય કેસ વધીને 15873 થઈ ગયા છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 2593 નવા કેસ, 44 સંક્રમિતોના મોત, 700થી વધુ એક્ટિવ કેસ
Corona (symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:35 AM
Share

આજે દેશમાં કોરોનાના (Corona) નવા 2593 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 794 સક્રિય કેસ નોંધાયા છે, જે પછી કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 15873 થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા દિવસે 1755 લોકો કોરોનાથી સાજા થયા છે, ત્યારબાદ દેશમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,25,19,479 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 44 લોકોના મોત થયા છે, જે પછી કુલ મૃત્યુઆંક 5,22,193 થઈ ગયો છે. જ્યારે કોવિડ-19નો (Covid-19) મૃત્યુઆંક 1.21 ટકા છે, જ્યારે કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 98.75 ટકા છે, અને સક્રિય કેસ 0.04 ટકા નોંધાયા છે.

રસીકરણના આંકડામાં થયો વધારો

કોરોનાના આંકડા વધવાની સાથે દેશમાં કોરોના રસીકરણમાં પણ વધારો થયો છે. બૂસ્ટર ડોઝ આપવાની સાથે, છેલ્લા 24 કલાકમાં 19,05,374 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કુલ રસીકરણનો આંકડો પણ 1,87,67,20,318 પર પહોંચી ગયો છે. સક્રિય કેસની વાત કરીએ તો, કોરોનાના સૌથી વધુ સક્રિય 3705 કેસ રાજધાની દિલ્હીમાં છે. તે પછી કેરળ (2658), કર્ણાટક (1721), હરિયાણા (1692), આસામ (1354) અને યુપી (1122) આવે છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સાજા થયેલા 640 દર્દીઓ પણ દિલ્હીમાં હતા. મૃત્યુની વાત કરીએ તો દિલ્હીમાં 2 દર્દી અને યુપી, મહારાષ્ટ્ર, ઝારખંડ અને બંગાળમાં 1-1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીમાં શરૂ થઈ કોરોનાની લહેર?

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, કોરોનાના 44 મૃત્યુમાંથી, 38 ભૂતકાળમાં કેરળમાં હતા, જેને હવે અપડેટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સરકારે કેરળમાં કોરોનાને કારણે જાનહાનિ અંગે કોઈ માહિતી આપી નથી. IIT મદ્રાસ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે હાલમાં દિલ્હીની R વેલ્યુ 2.1 છે. સરળ શબ્દોમાં કહીએ તો, એક કોરોના સંક્રમિત દર્દી હવે આ વાયરસ દ્વારા અન્ય બે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશની આર વેલ્યુ 1.3 પર ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાટનગરની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.

હવે R વેલ્યુમાં વધારો એટલે કોરોનાની નવી લહેર ? જ્યારે આ પ્રશ્ન IIT મદ્રાસના ગણિત વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત ઝાને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આને લહેર કહેવી બહુ વહેલું હશે. તેઓ કહે છે કે અત્યારે માત્ર એટલું જ કહી શકાય કે એક સંક્રમિત વ્યક્તિ અન્ય બે લોકોને પણ ચેપ લગાવી રહી છે. અત્યારે આપણે દિલ્હીના લોકોની રોગપ્રતિકારક શક્તિની સ્થિતિ વિશે પણ નથી જાણતા. જેમને ચેપ લાગી રહ્યો છે, તેને ભૂતકાળમાં કોરોના થયો છે કે નહીં, તે હજી સ્પષ્ટ નથી.

આ પણ વાંચોઃ

Delhi Corona Update: દિલ્હીમાં કોરોના બેકાબૂ, સતત ત્રીજા દિવસે 1 હજારથી વધુ કેસ, 2 દર્દીના મોત

આ પણ વાંચોઃ

Corona Virus : દુનિયાભરમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, ફ્રાન્સમાં 88,389 અને જર્મનીમાં 1.61 લાખ કેસ નોંધાયા, ચીનના શાંઘાઈમાં સ્થિતિ બેકાબૂ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">