AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે – NTAGI

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.

કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે - NTAGI
Children Vaccination - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:49 PM
Share

દેશમાં 16 માર્ચથી 12 થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના વાયરસની (Corona Virus) રસી આપવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણની (Vaccination) શરૂઆત પહેલા, કોવિડ વર્કિંગ ગ્રૂપ અને નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, અમે 12-14 વર્ષના બાળકો સુધી રસીકરણનો વિસ્તાર કર્યો છે. ચીન અને સિંગાપોરમાં કેસ વધી રહ્યા છે. કોઈપણ બેદરકારી ખતરનાક બની શકે છે, જો કે મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે.

7.11 કરોડ બાળકોને રસી અપાશે

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ 16 માર્ચે 12 થી 14 વર્ષની વય જૂથો એટલે કે, વર્ષ 2008, 2009 અને 2010માં જન્મેલા બાળકો, જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે, તેઓને કોવિડ 19 રસીકરણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. નવા વયજૂથ હેઠળ આશરે 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. દેશમાં રસીકરણ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. સરકારે કહ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે. જૂન મહિનામાં દેશમાં ચોથી લહેર આવવાની શક્યતા છે.

14 વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ ચાલુ છે

દેશમાં 14 વર્ષથી વધુ વયની વસ્તીને રસી આપવામાં આવી રહી છે. 15 થી 18 વર્ષના બાળકોને પણ કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. 3 જાન્યુઆરી, 2022થી શરૂ થયેલા આ તબક્કામાં, માત્ર ભારત બાયોટેકની કો-વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે. 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા પણ સમાન છે.

આ પણ વાંચો : Hijab Controversy: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી, કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જઈશું

આ પણ વાંચો : રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">