AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે – NTAGI

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.

કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે - NTAGI
Children Vaccination - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:49 PM
Share

દેશમાં 16 માર્ચથી 12 થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના વાયરસની (Corona Virus) રસી આપવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણની (Vaccination) શરૂઆત પહેલા, કોવિડ વર્કિંગ ગ્રૂપ અને નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, અમે 12-14 વર્ષના બાળકો સુધી રસીકરણનો વિસ્તાર કર્યો છે. ચીન અને સિંગાપોરમાં કેસ વધી રહ્યા છે. કોઈપણ બેદરકારી ખતરનાક બની શકે છે, જો કે મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે.

7.11 કરોડ બાળકોને રસી અપાશે

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ 16 માર્ચે 12 થી 14 વર્ષની વય જૂથો એટલે કે, વર્ષ 2008, 2009 અને 2010માં જન્મેલા બાળકો, જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે, તેઓને કોવિડ 19 રસીકરણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. નવા વયજૂથ હેઠળ આશરે 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. દેશમાં રસીકરણ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. સરકારે કહ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે. જૂન મહિનામાં દેશમાં ચોથી લહેર આવવાની શક્યતા છે.

14 વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ ચાલુ છે

દેશમાં 14 વર્ષથી વધુ વયની વસ્તીને રસી આપવામાં આવી રહી છે. 15 થી 18 વર્ષના બાળકોને પણ કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. 3 જાન્યુઆરી, 2022થી શરૂ થયેલા આ તબક્કામાં, માત્ર ભારત બાયોટેકની કો-વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે. 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા પણ સમાન છે.

આ પણ વાંચો : Hijab Controversy: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી, કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જઈશું

આ પણ વાંચો : રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">