AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે – NTAGI

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.

કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે - NTAGI
Children Vaccination - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:49 PM
Share

દેશમાં 16 માર્ચથી 12 થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના વાયરસની (Corona Virus) રસી આપવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણની (Vaccination) શરૂઆત પહેલા, કોવિડ વર્કિંગ ગ્રૂપ અને નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, અમે 12-14 વર્ષના બાળકો સુધી રસીકરણનો વિસ્તાર કર્યો છે. ચીન અને સિંગાપોરમાં કેસ વધી રહ્યા છે. કોઈપણ બેદરકારી ખતરનાક બની શકે છે, જો કે મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને જણાવતા આનંદ થાય છે કે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે.

7.11 કરોડ બાળકોને રસી અપાશે

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ 16 માર્ચે 12 થી 14 વર્ષની વય જૂથો એટલે કે, વર્ષ 2008, 2009 અને 2010માં જન્મેલા બાળકો, જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે, તેઓને કોવિડ 19 રસીકરણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. નવા વયજૂથ હેઠળ આશરે 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. દેશમાં રસીકરણ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. સરકારે કહ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીનો ડોઝ મેળવી શકશે. જૂન મહિનામાં દેશમાં ચોથી લહેર આવવાની શક્યતા છે.

14 વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ ચાલુ છે

દેશમાં 14 વર્ષથી વધુ વયની વસ્તીને રસી આપવામાં આવી રહી છે. 15 થી 18 વર્ષના બાળકોને પણ કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. 3 જાન્યુઆરી, 2022થી શરૂ થયેલા આ તબક્કામાં, માત્ર ભારત બાયોટેકની કો-વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે. 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા પણ સમાન છે.

આ પણ વાંચો : Hijab Controversy: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી, કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જઈશું

આ પણ વાંચો : રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">