Ahmedabad : એક પરિવાર બાળકોને કોરોના રસી અપાવવા છેક સાત સમંદર પાર ગયો, જાણો વેક્સિનેશનનો કેટલો થયો ખર્ચો ?
આ વાત માનવામાં નહિ આવે કે કોઈ પરિવાર રસી લેવા સાત સમંદર પર જઈ શકે. પણ આ વાત સાચી છે. નારણપુરા વિસ્તારમાં રંજન સોસાયટીમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવારની આ વાત છે.
કોરોનાની સામે ભારતવાસીઓ લડત લડી રહ્યા છે. જે લડત સામે ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને વેકસીન એક માત્ર ઉપાય છે. જોકે બાળકોની રસી ન આવતા અમદાવાદના એક પરિવારને તેમના બાળકોની ચિંતા તેઓને સાત સમંદર પાર વિદેશ લઈ ગઈ.
જીહા. આ વાત માનવામાં નહિ આવે કે કોઈ પરિવાર રસી લેવા સાત સમંદર પર જઈ શકે. પણ આ વાત સાચી છે. નારણપુરા વિસ્તારમાં રંજન સોસાયટીમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવારની આ વાત છે. બ્રહ્મભટ્ટ પરિવારના માતા પિતા એક શિક્ષણ સંકુલમાં ફરજ બજાવે છે. જેઓને પાંચ વર્ષના બે જોડિયા બાળકો છે. જે પરિવારને તેમના બાળકની ચિંતા ઘણા સમયથી સતાવતી હતી. કેમ કે બાળકોને રસી આપ્યા વગર તેઓને વધુ બહાર લઈ જવાઇ શકતા ન હતા. ત્યારે યુએસમાં સીટીઝન શિપ ધરાવતા બને બાળકો માટે યુએસમાં વેકસીન અપાઈ રહ્યાના નવેમ્બરે મહિનામાં પરિવારને સમાચાર મળ્યા કે તરત બ્રહ્મભટ્ટ પરિવાર નવેમ્બર મહિનામાં યુએસના ડિટરોય ખાતે પહોંચ્યો.
જ્યાં બને બાળક સર્વ અને સ્તવન 6 નવેમ્બરે અને 26 નવેમ્બરે ફાયઝરની રસી આપી. તો બાળકોના માતા અને પિતાએ પણ બુસ્ટર ડોઝ લઈ પરિવારને સુરક્ષિત બનાવ્યા. જેના માટે બ્રહ્મભટ્ટ પરિવારને 3 લાખ ઉપર ખર્ચ થયો. જે રસી લેવા પાછળ સિદ્ધિ રાજદીપ બ્રહ્મભટ્ટ પરિવારે ભારતમાં બાળકો માટે રસી નહિ હોવાથી બાળકને સુરક્ષિત કઈ રીતે કરવા તે ચિંતા સાથે વિદેશમાં બાળકોને રસી આપી હોવાનું જણાવી ભારતમાં પણ બાળકો માટે રસી જલ્દી આવે તેવી માંગ કરી.
તો તરફ બાળકોના ડોકટરોએ પણ ભારતમાં બાળકો માટે રસી નહિ હોવાની વાત સ્વીકારી. લોકો બાળકોને સુરક્ષિત કરવા વિદેશ રસી લેવા જતા હોવાનું સ્વીકાર્યું. સાથે જ ડોકટરોએ બાળકો માટે જલ્દી રસી ભારત સરકાર લાવે તેવી માંગ કરી.
મહત્વનું છે કે માત્ર અમદાવાદના એક પરિવાર નહિ પણ સુરતમાં હીરા ઉદ્યોગકાર એક પરિવારે પણ વિદેશમાં બાળકને રસી અપાવી. જોકે આ રસી માત્ર કેટલાક સ્થળે કે ધનિક લોકોને પોસાય શકે. સામાન્ય જનતાના બાળકો ક્યાં જાય અને બાળકોને સુરક્ષિત કેવી રીતે કરાય તે પ્રશ્ન સર્જાયો છે. અને તેનો માત્ર એક ઉપાય ભારતમાં પણ બાળકો માટે રસી આવે. જે દરેક લોકોની માંગ છે.