ચીનની સાથેસાથે વિશ્વના આ દેશમાં પણ કોરોનાનો કહેર, માત્ર એક જ દિવસમાં 1000 દર્દીના મોત

કોરોના મહામારીએ ફરી એકવાર ઉથલો માર્યો હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યાં છે. વિવિધ દેશમાં કોરોનાનો વ્યાપ વધવાના સમાચાર સામે આવતા જ સમગ્ર વિશ્વ ચોકી ઉઠ્યું છે. ચીનની સાથેસાથે પશ્ચિમના સુવિધાજનક દેશમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક વધ્યા છે. તો માત્ર એક જ દિવસમાં 1000થી વધુ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા છે.

ચીનની સાથેસાથે વિશ્વના આ દેશમાં પણ કોરોનાનો કહેર, માત્ર એક જ દિવસમાં 1000 દર્દીના મોત
Coronavirus ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 11:12 AM

માત્ર ચીન જ નહી, પશ્ચિમના દેશોમાં પણ કોરોના મહામારીએ માથુ ઉચક્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, જાપાન સહીતના વિકસીત દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક સંખ્યામાં વધ્યાં છે. કોરોનાના કેસ વધવાની સાથે વિશ્વના અન્ય દેશમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે. ચીનના એક આરોગ્ય અધિકારીના જણાવ્યાનુંસાર વર્તમાન શિયાળાની ઋતુમાં ચીનમાં કોરોનાની વધુ એક લહેર આવશે. આ લહેરમાં ચીનની અડધોઅડધ વસ્તી લપેટમાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ચીન જેવી જ સ્થિતિ, વિશ્વના અન્ય દેશમાં પણ જોવા મળે તો નવાઈ નહી. વિતેલા દિવસોમાં ચીનમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ અને જાપાનમાં ગઈકાલના માત્ર એક જ દિવસમાં 1000થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે.

કોરોનાના આંકડાઓના આધારે વિશદ છણાવટ સાથે અભ્યાસ કરતી વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વમાં ગઈકાલે કોરોનાથી સૌથી વધુ મૃત્યુનો આંક નોંધાયો છે. જેમાં અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ નિપજ્યા છે. ત્યાર બાદના ક્રમમાં જાપાન, બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ આવે છે. ગઈકાલ 20 ડિસેમ્બરને મંગળવારના માત્ર એક જ દિવસમાં આ પાંચ દેશમાં 1000થી વધુ મૃત્યું નોંધાયા છે.

20 ડિસેમ્બરે નિપજેલ મૃત્યું

  • અમેરિકા – 308
  • જાપાન – 231
  • બ્રાઝિલ – 216
  • જર્મની – 201
  • ફ્રાન્સ – 130

અત્યાર સુધીમાં કોરોનાથી આ દેશમાં કેટલા લોકોના મૃત્યું નિપજ્યા ?

  • અમેરિકા – 11,13,808
  • બ્રાઝિલ – 6, 92,210
  • ફ્રાન્સ – 1,60,747
  • જર્મની – 1,60,246
  • જાપાન – 53, 730

ચીનમાં 10 લાખથી વધુ લોકોના મોત થવાની ભીતિ

મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાએ, તેના સંશોધનાત્મક અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનનું માનવું છે કે 2023માં કોરોના વાયરસના કેસના વિસ્ફોટ બાદ ચીનમાં 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સરકારે ગત 7 ડિસેમ્બરથી આજ દિવસ સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુ અંગે સત્તાવાર કોઈ જ આંકડા જાહેર કર્યા નથી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Latest News Updates

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
g clip-path="url(#clip0_868_265)">