AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 04 કેસ નોંધાયા, અમદાવાદમાં પ્રથમવાર એક પણ કેસ નહીં

ખાસ નોંધનીય વાત એ છેકે સતત કોરોના (corona) મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી,

ગુજરાતમાં આજે કોરોનાના નવા 04 કેસ નોંધાયા, અમદાવાદમાં પ્રથમવાર એક પણ કેસ નહીં
Corona (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 7:34 PM
Share

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે 16 એપ્રિલના રોજ કોરોનાના નવા 04 કેસ નોંધાયા હતા. જ્યારે 32 દર્દીઓ સાજા થયા છે. આજે રાજયમાં સૌથી વધારે 03 કેસ વડોદરા જિલ્લામાં(Vadodara)નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,074 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 126 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 02 કેસ, વડોદરામાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ખાસ નોંધનીય વાત એ છેકે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી, તથા ગાંધીનગરમાં વચ્ચે નોંધાયેલા કોરોના વિસ્ફોટ બાદ ગાંધીનગરમાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ સાથે રાજયમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જયારે વડોદરામાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે. અને ડાંગ જિલ્લામાં 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :TV9 Property Expo 2022: બીજા દિવસે પ્રોપર્ટી એક્સ્પોને મળ્યો લોકોનો બહોળો પ્રતિસાદ, એેક જ સ્થળે મળે છે રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માહિતી

આ પણ વાંચો :MI vs LSG Playing XI IPL 2022: પ્રથમ જીત મેળવવા મુંબઈ ઈન્ડિયન્સની આવી છે પ્લયીંગ ઈલેવન, લખનૌ અને મુંબઈએ કર્યો આ ફેરફાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">