Use of Smartphone: સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે હાનિકારક છે, શિક્ષણવિદોએ આ વાતનું આપ્યું સમર્થન
use of smartphone for children: શિક્ષણવિદોનું માનવું છે કે, સ્માર્ટફોન વગેરેના વધુ પડતા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પરંતુ કેટલાક વાલીઓ કહે છે કે, ઓનલાઈન શિક્ષણના આ યુગમાં તે ફરજિયાત છે.
Use of Smartphone For Children: શિક્ષણવિદોએ ગોવાના ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી રોહન ખુંટેના નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ તેમના બાળકોના સ્માર્ટફોનને (Smartphone) ઈનામ તરીકે ન માને. શિક્ષણવિદોનું માનવું છે કે, સ્માર્ટફોન વગેરેના વધુ પડતા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પરંતુ કેટલાક વાલીઓ કહે છે કે, ઓનલાઈન શિક્ષણના (Online Classes) આ યુગમાં તે ફરજિયાત છે. તાજેતરના એક સર્વેને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, મોબાઈલ ફોનની લત બાળકો પર ગંભીર અસર કરી રહી છે.
તેમણે કહ્યું, “આપણે સ્માર્ટફોનને બાળકો માટે પુરસ્કાર તરીકે લેવાનું બંધ કરવું જોઈએ. તેઓએ જણાવવું જોઈએ કે, નિયમિત શાળાકીય પ્રણાલી પર કોવિડ-19 રોગચાળાના નિયંત્રણોનો સામનો કરવા માટે આ માત્ર એક સાધન છે.” આનો જવાબ આપતા, જાણીતા શિક્ષણશાસ્ત્રી નારાયણ દેસાઈએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા સાધનોનો વધુ પડતો ઉપયોગ અને દુરુપયોગ. એવી વસ્તુ છે જેનો આપણે સામનો કરવાની જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓના (educational institutions) સ્તરે યોગ્ય વિચાર અને આયોજન કરવું જોઈએ.
વાલીઓ મનોવૈજ્ઞાનિકોની લઈ રહ્યા છે સલાહ
તેમણે કહ્યું કે, માતા-પિતા અને વિદ્યાર્થીઓ ઉપકરણોથી સંપૂર્ણપણે દૂર રહી શકતા નથી કારણ કે, નવી શિક્ષણ નીતિ (NEP) મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવાની અને બાળકને સ્વ-શિક્ષક બનાવવાની વાત કરે છે. તેમણે દાવો કર્યો, “NEP એ વાત પર ભાર મૂકે છે કે, બાળકને સાધનની સમજ હોવી જોઈએ.”
ગોવાના રહેવાસી સંચિતા પાઈ રાયકરે કહ્યું કે, જ્યારથી ઓનલાઈન શિક્ષણ એક ધોરણ બની ગયું છે ત્યારથી બાળકો પાસે પોતાના ઉપકરણો છે. આના પર પેરેંટલ કંટ્રોલ લગભગ શૂન્ય છે. તેમનો પુત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ગોવા યુનિટના ભૂતપૂર્વ વડા ડૉ. શેખર સાલકરે જણાવ્યું હતું કે, બાળકો દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે ઓછો કરવો તે અંગે ઘણા માતા-પિતા મનોવૈજ્ઞાનિકોનો સંપર્ક કરી રહ્યા છે.
તેમણે કહ્યું, “દરેક વ્યક્તિ સંમત છે કે, ડિજિટલ ડિટોક્સિફિકેશનની જરૂર છે. સરકાર તરફથી વિચાર આવી રહ્યો છે તે સારી વાત છે, પરંતુ વાસ્તવમાં તે કોણ કરશે તે એક પ્રશ્ન છે.” ગોવા ટેક્નોલોજી એસોસિએશન (જીટીએ), વિવિધ ટેક્નોલોજી-સંબંધિત ઉદ્યોગોના સંગઠને જણાવ્યું હતું કે મંત્રીએ યોગ્ય મુદ્દો ઉઠાવ્યો હતો.
જીટીએના પ્રમુખ મિલિંદ અનવેકરે દાવો કર્યો હતો કે, વિડિયો ગેમ જીતવાથી અને ચિત્ર પર ‘લાઇક્સ’ મેળવવાથી મગજમાં આનંદ-પ્રેરિત રસાયણ ડોપામાઇન મુક્ત થાય છે. તેની અસર આલ્કોહોલ પીવાથી અથવા દવાઓના ઉપયોગથી થતી અસર જેવી જ છે. સમય જતાં, આપણે આ ડોપામાઇન રીલીઝની ઇચ્છા કરીએ છીએ, જે અમને ટેક્નોલોજી અને ઇન્ટરનેટ-સક્ષમ ઉપકરણોનો વધુ ઉપયોગ કરવા દબાણ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, માત્ર બાળકોને દોષ આપવો એ ઉચિત નથી, કારણ કે તેઓ જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે કે, ફોન સૌથી મહત્વની વસ્તુ છે, અને બાળકો માટે યોગ્ય દાખલો બેસાડવો તે માતાપિતા પર છે.
(ઇનપુટ ભાષા)
આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો
આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો