AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Group D Exam: 23 ફેબ્રુઆરીથી RRB ગ્રુપ Dની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે મેળવશો પ્રવેશપત્ર

RRB Group D Exam: RRB ગ્રુપ D ભરતી પરીક્ષા 23 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. આ માટેના એડમિટ કાર્ડ ચાર દિવસ પહેલા આપવામાં આવશે.

RRB Group D Exam: 23 ફેબ્રુઆરીથી RRB ગ્રુપ Dની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે મેળવશો પ્રવેશપત્ર
RRB group D exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 2:38 PM
Share

RRB Group D Exam: ઘણા સમય પછી અંતે રેલવે બોર્ડે ખાલી જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડે (RRB) ગ્રુપ ડી વેકેન્સી 2019 (Railway Group D Job) માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. રેલવે ભરતી બોર્ડે (RRB) આ સંબંધમાં સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર નોટિસ જાહેર કરી છે. આ મુજબ, આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષા ફેબ્રુઆરી 2022માં લેવામાં આવશે. RRB ગ્રુપ ડી ભરતી પરીક્ષા 23 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં તમામ વિગતોની માહિતી મળે છે.

પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે

કોરોનાકાળને પગલે આ પરીક્ષા કોમ્પ્યુટર મોડ એટલે કે ઓનલાઈન માધ્યમમાં લેવામાં આવશે. પરીક્ષા વિવિધ તબક્કામાં લેવામાં આવશે. RRBએ કહ્યું છે કે, કોવિડ-19 મહામારી પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તે સમયના સંજોગોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા શહેર અને તારીખની માહિતી

RRB ગ્રુપ ડીની પરીક્ષા વિવિધ તબક્કામાં યોજાશે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે જણાવ્યું છે કે ઉમેદવારને કયા પરીક્ષા શહેરની ફાળવણી કરવામાં આવી છે, તેમની પરીક્ષાની તારીખ શું છે, આ તમામ માહિતી પરીક્ષાના 10 દિવસ પહેલા RRBની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

તમને એડમિટ કાર્ડ ક્યારે મળશે

RRB ગ્રુપ ડી એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના ચાર દિવસ પહેલા આપવામાં આવશે. બોર્ડે જણાવ્યું છે કે ગ્રુપ ડી પરીક્ષાના ઈ-કોલ લેટર્સ પરીક્ષાના ચાર દિવસ પહેલા તમામ પ્રાદેશિક RRB વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો સંબંધિત RRB પ્રાદેશિક વેબસાઇટ પરથી તેમના કોલ લેટર,એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

RRBએ ભુલ સુધારવાની આપી તક

વર્ષ 2019 માં RRB ગ્રુપ ડી ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી અને અરજીઓ લેવામાં આવી હતી. કુલ 4,85,607 ઉમેદવારોની અરજીઓ ખોટા ફોટા અને સહીઓના કારણે નામંજૂર કરવામાં આવી હતી. હવે RRB એ તમામ ઉમેદવારોને ભૂલ સુધારવાની તક આપી રહી છે. જો તમારી અરજી ખોટા ફોટા અથવા હસ્તાક્ષરને કારણે નકારી કાઢવામાં આવે છે, તો તમે 15 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2021 વચ્ચે સુધારો કરી શકો છો. આ માટે, RRB ની તમામ પ્રાદેશિક વેબસાઇટ્સ પર ફેરફાર લિંક (RRB ગ્રુપ ડી એપ્લિકેશન મોડિફિકેશન લિંક) સક્રિય કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Mumbai : શું ટૂંક સમયમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ગુંજશે બાળકની કિલકારી ?

આ પણ વાંચોઃ ઇન્ડોનેશિયા-ફિલિપાઇન્સ આર્મી અને મલેશિયાનું સંરક્ષણ મંત્રાલય ચીની હેકર્સના નિશાના પર, જાણો ક્યા દેશોને નિશાન બનાવી રહ્યું છે ચીન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">