AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Group D Exam: 23 ફેબ્રુઆરીથી RRB ગ્રુપ Dની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે મેળવશો પ્રવેશપત્ર

RRB Group D Exam: RRB ગ્રુપ D ભરતી પરીક્ષા 23 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. આ માટેના એડમિટ કાર્ડ ચાર દિવસ પહેલા આપવામાં આવશે.

RRB Group D Exam: 23 ફેબ્રુઆરીથી RRB ગ્રુપ Dની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે મેળવશો પ્રવેશપત્ર
RRB group D exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 2:38 PM
Share

RRB Group D Exam: ઘણા સમય પછી અંતે રેલવે બોર્ડે ખાલી જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડે (RRB) ગ્રુપ ડી વેકેન્સી 2019 (Railway Group D Job) માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. રેલવે ભરતી બોર્ડે (RRB) આ સંબંધમાં સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર નોટિસ જાહેર કરી છે. આ મુજબ, આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષા ફેબ્રુઆરી 2022માં લેવામાં આવશે. RRB ગ્રુપ ડી ભરતી પરીક્ષા 23 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં તમામ વિગતોની માહિતી મળે છે.

પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે

કોરોનાકાળને પગલે આ પરીક્ષા કોમ્પ્યુટર મોડ એટલે કે ઓનલાઈન માધ્યમમાં લેવામાં આવશે. પરીક્ષા વિવિધ તબક્કામાં લેવામાં આવશે. RRBએ કહ્યું છે કે, કોવિડ-19 મહામારી પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તે સમયના સંજોગોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા શહેર અને તારીખની માહિતી

RRB ગ્રુપ ડીની પરીક્ષા વિવિધ તબક્કામાં યોજાશે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે જણાવ્યું છે કે ઉમેદવારને કયા પરીક્ષા શહેરની ફાળવણી કરવામાં આવી છે, તેમની પરીક્ષાની તારીખ શું છે, આ તમામ માહિતી પરીક્ષાના 10 દિવસ પહેલા RRBની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

તમને એડમિટ કાર્ડ ક્યારે મળશે

RRB ગ્રુપ ડી એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના ચાર દિવસ પહેલા આપવામાં આવશે. બોર્ડે જણાવ્યું છે કે ગ્રુપ ડી પરીક્ષાના ઈ-કોલ લેટર્સ પરીક્ષાના ચાર દિવસ પહેલા તમામ પ્રાદેશિક RRB વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો સંબંધિત RRB પ્રાદેશિક વેબસાઇટ પરથી તેમના કોલ લેટર,એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

RRBએ ભુલ સુધારવાની આપી તક

વર્ષ 2019 માં RRB ગ્રુપ ડી ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી અને અરજીઓ લેવામાં આવી હતી. કુલ 4,85,607 ઉમેદવારોની અરજીઓ ખોટા ફોટા અને સહીઓના કારણે નામંજૂર કરવામાં આવી હતી. હવે RRB એ તમામ ઉમેદવારોને ભૂલ સુધારવાની તક આપી રહી છે. જો તમારી અરજી ખોટા ફોટા અથવા હસ્તાક્ષરને કારણે નકારી કાઢવામાં આવે છે, તો તમે 15 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2021 વચ્ચે સુધારો કરી શકો છો. આ માટે, RRB ની તમામ પ્રાદેશિક વેબસાઇટ્સ પર ફેરફાર લિંક (RRB ગ્રુપ ડી એપ્લિકેશન મોડિફિકેશન લિંક) સક્રિય કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Mumbai : શું ટૂંક સમયમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ગુંજશે બાળકની કિલકારી ?

આ પણ વાંચોઃ ઇન્ડોનેશિયા-ફિલિપાઇન્સ આર્મી અને મલેશિયાનું સંરક્ષણ મંત્રાલય ચીની હેકર્સના નિશાના પર, જાણો ક્યા દેશોને નિશાન બનાવી રહ્યું છે ચીન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">