AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAI CA Foundation Exams 2021: સોમવારથી CA ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ, આ મહત્વપૂર્ણ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

ICAI CA Foundation Exams 2021: પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો જો તેઓ સગીર એટલે કે 18 વર્ષથી ઓછા હોય, તો તેમણે માતા-પિતા અથવા વાલી દ્વારા હસ્તાક્ષર કરેલો પત્ર લાવવો પડશે.

ICAI CA Foundation Exams 2021: સોમવારથી CA ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ, આ મહત્વપૂર્ણ બાબતોનું રાખવુ પડશે ધ્યાન
ICAI CA EAXM
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 3:10 PM
Share

ICAI CA Foundation Exams 2021: ધ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) ફાઉન્ડેશન CA પરીક્ષાઓ 13મી ડિસેમ્બર 2021 સોમવાર(Monday)થી શરૂ થશે. પરીક્ષા(Exam)ના પેપર 1 અને પેપર 2 ત્રણ કલાકના સમયગાળા માટે બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. CA ફાઉન્ડેશન પરીક્ષા (ICAI CA Foundation Exams 2021) 13મી ડિસેમ્બર, 15મી ડિસેમ્બર, 17મી ડિસેમ્બર અને 19મી ડિસેમ્બર સુધી ચાલશે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ પહેલાથી જ સત્તાવાર વેબસાઈટ – icaiexam.icai.org  પર બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ હજુ સુધી પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી તેઓ જઈને તેને ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડની લિંક હજુ પણ એક્ટિવ છે.

પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો જો તેઓ સગીર એટલે કે 18 વર્ષથી ઓછા હોય, તો તેમણે માતા-પિતા અથવા વાલી દ્વારા હસ્તાક્ષર કરેલો પત્ર લાવવો પડશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. પરંતુ ઉમેદવારોને બપોરે 1 વાગ્યા સુધીમાં ગેટ એન્ટ્રી આપવામાં આવશે. તેથી ઉમેદવારોએ પરીક્ષા માટે સમયસર પહોંચી જવું.

કોરોનાને કારણે પરીક્ષા દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે પરંતુ જો પેપર સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે તો ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર છોડવાની મંજૂરી આપવામાં આવશે.

પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો

પરીક્ષા દરમિયાન એડમિટ કાર્ડ સાથે રાખવાનું ભૂલશો નહીં, એડમિટ કાર્ડ વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તેમજ ઓળખ પત્ર, ફેસ માસ્ક, જો ઉમેદવાર સગીર હોય તો બાંયધરીપત્ર સાથે લાવવું ભુલવુ નહીં, આ જરૂરી વસ્તુઓ તમારી સાથે રાખો. આ સિવાય OMR શીટ ભરવા માટે પેન્સિલ, ઇરેઝર પણ સાથે રાખો. ઉપરાંત, જો તમે ઇચ્છો તો, તમે પાણીની બોટલ લઈ શકો છો.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

icaiexam.icai.org ની મુલાકાત લો

1. લોગિન પર ક્લિક કરો 2. લોગિન આઈડી (રજીસ્ટ્રેશન નંબર) અને પાસવર્ડ દાખલ કરો. 3. CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ સબમિટ કરો અને ડાઉનલોડ કરો.

આ પણ વાંચો: Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ

આ પણ વાંચો: Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">