IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

પારેખે જણાવ્યું કે 2022-23માં કંપની 50,000 નવી ભરતી કરશે. અગાઉ, IT ઉદ્યોગ સંસ્થા NASSCOM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, તેમણે કહ્યું હતું કે 2022-23માં 55,000 થી વધુ ફ્રેશર્સની ભરતી થઈ શકે છે.

IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે
Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:54 AM

ભારતીય આઈટી કંપનીઓની વૃદ્ધિની પ્રક્રિયા સતત ચાલુ છે. આ જ કારણ છે કે IT કંપનીઓ રોજગાર આપવાના મામલે આગળ છે. વર્તમાન નાણાંકીય વર્ષ 2022-23માં પણ IT Company માં નોકરીઓ માટે વિપુલ તક મળવાની છે. આઈટી કંપની ઈન્ફોસિસ(Infosys) પણ આ સમયગાળા દરમિયાન મોટા પાયે કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.નાણાકીય વર્ષ 2021-22ના અંતિમ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતા ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે(Salil Parekh) આ માહિતી આપી હતી. ઇન્ફોસિસને અપેક્ષા છે કે 2022-23માં રિકવરી ઝડપી થવાની સાથે આ વર્ષ વૃદ્ધિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેથી કંપની તકોનો લાભ લેવા જરૂરી પગલાં લઈ રહી છે.

50 હજાર ફ્રેશર્સને તક મળશે

પારેખે જણાવ્યું કે 2022-23માં કંપની 50,000 નવી ભરતી કરશે. અગાઉ, IT ઉદ્યોગ સંસ્થા NASSCOM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, તેમણે કહ્યું હતું કે 2022-23માં 55,000 થી વધુ ફ્રેશર્સની ભરતી થઈ શકે છે. પારેખે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22 માટે, ઇન્ફોસિસે 85,000 ફ્રેશર્સની ભરતી કરી છે. જાન્યુઆરી-માર્ચ 2022માં કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યા પણ ઘણી વધારે હતી. આ દરમિયાન ઈન્ફોસિસના 27.7 ટકા કર્મચારીઓએ તેમની નોકરી છોડી દીધી. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આ આંકડો 25.5 ટકા હતો.

એપ્રિલના પગારમાં વધારો થશે

સલિલ પારેખે આ દરમિયાન કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે એપ્રિલ મહિનાનો પગાર મે મહિનામાં વધશે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે પગારમાં કેટલો વધારો થશે. આ પહેલા મંગળવારે દેશની અગ્રણી IT કંપની TCS એ પણ કર્મચારીઓનો પગાર વધારવાની જાહેરાત કરી હતી. TCS કર્મચારીઓના પગારમાં 6-8 ટકાનો વધારો થશે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

નફો 12% વધ્યો

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો ચોખ્ખો નફો 12 ટકા વધીને રૂ. 5,686 કરોડ થયો છે. આ અનુમાન કરતાં થોડું ઓછું છે. વિશ્લેષકો 6,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવી રહ્યા હતા. આ ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુ ગ્રોથ 23 ટકા વધીને રૂ. 32,276 કરોડ થઈ છે.

આ પણ વાંચો : PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી

આ પણ વાંચો : Super Mechanic Contest: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘TV9 નેટવર્ક સુપર મિકેનિક કોન્ટેસ્ટ’માં ભાગ લીધો, કાર્યક્રમ વિશે આ કહ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">