AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ રોકાણ આગામી 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે. તેનાથી 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. ગ્રૂપ કંપનીઓના શેરમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 10:04 AM
Share

દેશના સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani) દેશમાં વધુ એક મોટું રોકાણની કરવા જઈ રહ્યા છે. દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપ અદાણી ગ્રુપે(Adani Group) રૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગ્રુપ દ્વારા આટલું મોટું રોકાણ(Investment) પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યું છે. આ રોકાણ આગામી 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે. તેનાથી 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. ગ્રૂપ કંપનીઓના શેરમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેના કારણે આ ગ્રુપ ખૂબ ચર્ચામાં છે.અદાણી ગ્રુપનો વિકાસ તાજેતરના મહિનાઓમાં ખૂબ જ ઝડપી રહ્યો છે.

પોર્ટથી લોજિસ્ટિક પાર્ક સુધી રોકાણ કરવાનું આયોજન

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે યોજાયેલી 6ઠ્ઠી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2022 (BGBS)માં રોકાણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેમનું જૂથ રાજ્યમાં વિશ્વસ્તરીય પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ડેટા સેન્ટર, અંડર-સી કેબલ્સ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ઈનોવેશન, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ પાર્કમાં રોકાણ કરશે. ગૌતમ અદાણી આ સમિટમાં પ્રથમ વખત હાજરી આપી છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ બંગાળમાં ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇનમાં વિશ્વ કક્ષાની કુશળતા લાવશે.

તાજપુર પોર્ટ માટે સૌથી વધુ બોલી લગાવી

બંગાળમાં અદાણી ગ્રુપની હાજરી બહુ ઓછી છે. હાલમાં ગ્રુપ પાસે હલ્દિયામાં માત્ર એક ખાદ્ય તેલનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટ અદાણી વિલ્મરનો છે. અદાણી ગ્રૂપ બંગાળના તાજપુર પોર્ટ માટે સૌથી વધુ બોલી લગાવી છે પરંતુ રાજ્ય સરકારે હજુ સુધી L1 બિડર તરીકે ગ્રુપનું નામ જાહેર કર્યું નથી. ગૌતમ અદાણીએ કહ્યું કે હું બંગાળમાં જે રોકાણની વાત કરી રહ્યો છું તેને પૂર્ણ કરવા માટે હું પૂરો પ્રયાસ કરીશ. આશા છે કે હું બંગાળના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીશ.

અદાણી ગ્રુપનો વિકાસ તાજેતરના મહિનાઓમાં ખૂબ જ ઝડપી રહ્યો છે. ગ્રૂપની સાત કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો :  આજે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાને લગતી તમામ માહિતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">