AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: કેવુ હશે રેલવે બજેટ, સામાન્ય માણસને કેટલો મળશે ફાયદો, સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત

ભારતીય રેલવે દેશની લાઈફલાઈન છે. ભારતીય રેલવે ના માત્ર દેશની જનતાને ઓછા ખર્ચે એક સ્થાનથી બીજા સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડે છે પણ સરકારની કમાણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

Budget 2022: કેવુ હશે રેલવે બજેટ, સામાન્ય માણસને કેટલો મળશે ફાયદો, સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત
Indian Railway (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 5:19 PM
Share

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ 2022-23 રજૂ કરશે. દેશના દરેક નાગરિકનું બજેટ દેશના બજેટ પર નિર્ભર કરે છે. આ વખતે પણ દેશની જનતાને આ બજેટ (Budget)થી ઘણી આશાઓ છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના લોકોની નજર રેલવે બજેટ (Rail Budget) પર રહેશે. તેનું સૌથી મોટું કારણ એ છે કે દેશના માત્ર નિમ્ન અને મધ્યમ વર્ગ જ નહીં, પરંતુ ઉચ્ચ વર્ગના લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરે છે. આજે આપણે અહીં જાણવાનો પ્રયાસ કરીએ કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકો માટે શું કરશે, જેથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સારી સુવિધા મળી શકે.

10 નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી શકે

ભારતીય રેલવે દેશની લાઈફલાઈન છે. ભારતીય રેલવે ના માત્ર દેશની જનતાને ઓછા ખર્ચે એક સ્થાનથી બીજા સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડે છે પણ સરકારની કમાણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઝી બિઝનેસના એક રિપોર્ટ મુજબ સરકાર બજેટમાં રેલવેનો ખર્ચ 15 ટકા સુધી વધારી શકે છે.

મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા 10 નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ તમામ 10 ટ્રેન વંદે ભારતવાળી રેકની સાથે પાટા પર ઉતારવામાં આવી શકે છે. તે સિવાય આ બજેટમાં હાઈ સ્પીડ રેલ નેટવર્કને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે, કારણ કે સરકારનું તેની પર ખાસ ફોક્સ છે.

એલ્યુમિનિયમ કોચવાળી ટ્રેનો લાંબા અંતરને કવર કરશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ વખતે પોતાની ટ્રેનોમાં એક મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાંબું અંતર કાપનારી ટ્રેનોનું વજન ઓછુ કરવા માટે તેમાં એલ્યુમિનિયમથી બનેલા ડબ્બા લગાવવામાં આવી શકે છે.

તેનાથી ટ્રેનની ઝડપ વધારવામાં આવી શકે છે. એલ્યુમિનિયમ કોચવાળી ટ્રેનો ફક્ત તે જ રૂટ પર ચલાવવામાં આવશે, જે ઈલેક્ટ્રિફાઈડ અને ડબલ લાઈનવાળા છે. ખાસ વાત એ છે કે તેમાં પ્રાઈવેટ કંપનીઓને જોડવામાં આવી શકે છે.

500 રેલવે સ્ટેશન થશે રિડેવલેપ

રિપોર્ટનું માનીએ તો આ વખતે બજેટમાં દેશના 500 રેલવે સ્ટેશનને રિડેવલેપ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. એટલુ જ નહીં વીજળી અને ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઝડપી જ દેશમાં હાઈડ્રોજન, બાયોફ્યૂલ અને સોલર એનર્જીથી ચાલનારી ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકે છે અને તેને લઈ બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારનો પ્રયત્ન છે કે નાણાકીય વર્ષ 2023ના અંત સુધી દેશમાં રેલ રૂટને 100 ટકા ઈલેક્ટ્રિફાઈડ કરવાનો લક્ષ્ય પુરો કરી લેવામાં આવે અને તેને લઈ પણ જાહેરાત થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Uttar pradesh assembly election 2022: ભાજપે સ્ટાર પ્રચારક તરીકે PM મોદી સહિત 30 નેતાઓની યાદી કરી જાહેર

આ પણ વાંચો: Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">