AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

રાજેશ ટોપેએ કહ્યુ, 'આજે અમે વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું છે. આ વાહનો દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં વેક્સિન આપી શકાશે. '

Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
Maharashtra Health minister Rajesh Tope (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 5:12 PM
Share

Vaccine On Wheels : મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આજે પૂણેમાં વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામથી હવે જ્યાં જરૂર હોય ત્યાં વેક્સિન આપી શકાશે. એટલે કે જે લોકો રસીકરણ કેન્દ્રમાં (Vaccination Center) રસી લેવા માટે આવી શકતા નથી અથવા તો એવા છેવાડાના વિસ્તારોમાં જ્યાંથી રસીકરણ કેન્દ્ર દૂર છે, ત્યાંના લોકો સુધી વેક્સિન પહોંચાડી શકાશે.

શાળા ફરીથી ખોલવાની માંગ ઉઠી

આ સિવાય મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ ઘણી શાળા પ્રશાસન અને વાલીઓ તરફથી શાળા ફરીથી ખોલવાની માંગ ઉઠી રહી છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં પણ આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, રાજેશ ટોપેએ પુણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.

વેક્સિનેશનેશને વેગ આપવા ‘વેક્સીન ઓન વ્હીલ્સ’ પ્રોગ્રામનું ઉદ્ઘાટન

રાજેશ ટોપેએ કહ્યુ કે, ‘આજે અમે વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું. આ વાહનો દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં રસી આપી શકાય છે. હાલમાં રાજ્યમાં રસીકરણ વધારવાની જરૂર છે. રાજ્યમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોવિડમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મૃત્યુ પણ ઓછા નોંધાઈ રહ્યા છે. ઓક્સિજન અને ICU બેડની માંગ પણ ઓછી છે. હાલ કોરોના નિયંત્રણમાં છે. જેમાં રસીકરણની મોટી ભૂમિકા છે. આ સાથે તેણે લોકોને વેક્સિન લેવા પણ અપીલ કરી હતી.

શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે

આ સાથે રાજેશ ટોપેએ શાળા ફરીથી શરૂ કરવાના મુદ્દે કહ્યુ કે, ‘મુખ્યમંત્રી આવતીકાલે કેબિનેટની બેઠકમાં (Cabinet Committee) આ અંગે નિર્ણય લઈ શકે છે. વધતા કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં નવા નિયંત્રણો લાગુ કરવા પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે શાળાઓ ફરીથી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા ફરી એકવાર શાળા શરૂ કરવાની માંગ વધી રહી છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">