Budget 2022: જ્વેલરી ઉદ્યોગની માંગ, સોનાથી બનેલા ઘરેણાં પર GST ઘટાડી 1.25 ટકા કરે સરકાર

જીજેસીએ નાણામંત્રીને પાનકાર્ડની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પણ આગ્રહ કર્યો છે.

Budget 2022: જ્વેલરી ઉદ્યોગની માંગ, સોનાથી બનેલા ઘરેણાં પર GST ઘટાડી 1.25 ટકા કરે સરકાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 2:01 PM

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે (GJC) સરકારને બજેટ (Budget 2022)માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરને ઘટાડીને 1.25 ટકા કરવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે પોતાના બજેટ 2022-23 પહેલાની ભલામણોમાં જેજેસીએ સોના (Gold), કિંમતી ધાતુઓ, રત્નો અને એવા સામાનથી બનેલા ઘરેણાં પર 1.25 ટકા જીએસટી નક્કી કરવાની માંગ કરી છે. હાલમાં તેની પર 3 ટકા જીએસટી લાગે છે. તે જ સમયે, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC) આગામી સામાન્ય બજેટ માટેની ભલામણોમાં સરકાર તરફથી સોના પરની આયાત ડ્યૂટી (Import duty on gold) 7.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાનો આગ્રહ કર્યો છે.

જીજેસીએ નાણામંત્રીને પાનકાર્ડની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પણ આગ્રહ કર્યો છે. કારણ કે ગ્રામીણ ભારતમાં ઘણા ઘરોમાં પાનકાર્ડ નથી અને જરૂરિયાતના સમયે ખાસ કરીને વૈશ્વિક મહામારીમાં લઘુત્તમ જરૂરી જ્વેલરીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે.

PTIના અહેવાલ મુજબ જીજેસીએ સરકારને અનુરોધ કર્યો છે કે સોનાના લઘુત્તમ જથ્થા પર યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે, જેનાથી કોઈ વ્યક્તિ કોઈ પણ વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કર્યા વગર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ હેઠળ જમા કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

22 કેરેટ સોનાના ઘરેણા પર મળે EMIની સુવિધા

તે સિવાય ઉદ્યોગ મંડળે વિનંતી કરી કે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને 22 કેરેટ સોનાના દાગીના ખરીદવા માટે EMI સુવિધાની મંજૂરી આપવી જોઈએ. જેનાથી મહામારી બાદ ઉદ્યોગમાં વધારો થશે.

જીજેસીના અધ્યક્ષ આશિષ પેઠેએ કહ્યું મહામારીના આ મુશ્કેલ સમયમાં અમારા ઉદ્યોગને મોટુ નુકસાન થયું છે અને તેને કે.વી.કામથની રિપોર્ટમાં ‘તણાવગ્રસ્ત ક્ષેત્રો’માંથી એક ગણવામાં આવે છે. તેથી અમે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 40Aમાં ફેરફારનો પ્રસ્તાવ આપ્યો છે, જેથી વર્તમાન દૈનિક 10,000 રૂપિયાની રોકડ મર્યાદાને વધારીને 1,00,000 રૂપિયા પ્રતિ દિવસ કરી શકાય.

ક્રેડિટ કાર્ડ પર બેન્ક કમિશન માફ કરવાની માંગ

તેમને કહ્યું કે જીજેસીએ સરકારને ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરેણાની ખરીદી પર બેન્ક કમિશન માફ કરવાનો પણ આગ્રહ કર્યો છે. આ પ્રકારે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ ‘ડિજિટલ ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવશે.

GJCએ સરકારને એ પણ આગ્રહ કર્યો કે જો વેચેલા ઘરેણાને નવા ઘરેણામાં રિઈન્વેસ્ટ કરવામાં આવે છે તો ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 54F અનુસાર રત્ન અને ઘરેણા ઉદ્યોગને કેપિટલ ગેનમાંથી છુટ આપવામાં આવવી જોઈએ. GMSને વધુ અસરકારક બનાવવા પર GJCએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે પરિવારોને કોઈપણ કર વિભાગ દ્વારા પૂછપરછમાંથી ઓછામાં ઓછું 500 ગ્રામ પૈતૃક સ્વભાવનું સોનું જમા કરાવવા માટે મુક્તિ આપવી જોઈએ.

આ પણ વાંચો: Gold Price Today : દુબઈમાં એક તોલા સોનાનો ભાવ 44266 રૂપિયા, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે સોનું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">