AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unilever તેનું Restructuring કરશે, ફેરફાર સાથે 1500 કર્મચારીઓ બેરોજગાર બનશે

કંપનીના આ નિર્ણય બાદ યુનિલિવરમાં કામ કરતા 1500થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઈ છે જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે.

Unilever તેનું Restructuring કરશે, ફેરફાર સાથે 1500 કર્મચારીઓ બેરોજગાર બનશે
વિશ્વભરમાં કંપનીના 1500 કર્મચારીઓ રોજગારી ગુમાવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 2:24 PM
Share

વિશ્વ વિખ્યાત FMCG પ્રોડક્ટ નિર્માતા યુનિલિવરે (Unilever) તેના બિઝનેસમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. યુકેની આ કંપનીએ તેના બિઝનેસનું પુનર્ગઠન કરવાનો મોટો નિર્ણય લીધો છે. કંપનીએ તેના બિઝનેસને 5 અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કર્યા છે. એક તરફ કંપની 5 કેટરગરીમાં વૃદ્ધિના પ્રયાસ કરી રહી છે તો સામે કંપનીની વૃદ્ધિ પાછળ ભૂમિકા ભજવનાર કર્મચારીઓ બેરોજગારીનું જોખમ પણ ઉભું થવાનું છે.

આ કેટેગરીમાં બ્યુટી એન્ડ વેલબીઇંગ, પર્સનલ કેર, હોમ કેર, ન્યુટ્રીશન અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. કંપની હવે આ 5 કેટેગરી પર ફોકસ કરશે. નવા ફેરફારો બાદ બ્યુટી પ્રોડક્ટ્સ અને પર્સનલ કેર અલગ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ તેના નિર્ણયમાં કહ્યું છે કે તમામ શ્રેણીઓ તેમની પોતાની વૃદ્ધિ અને વ્યૂહરચના માટે જવાબદાર રહેશે. જો કે, કંપની આ તમામ કેટેગરીઓને જરૂરી મદદ પૂરી પાડતી રહેશે.

વિશ્વભરમાં 1500 કર્મચારીઓ રોજગારી ગુમાવશે

કંપનીના આ નિર્ણય બાદ યુનિલિવરમાં કામ કરતા 1500થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઈ છે જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ આ મોટા નિર્ણય બાદ વિશ્વભરમાં 1500 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આમાં નાના હોદ્દા પર કામ કરતા કર્મચારીઓથી લઈને મોટા હોદ્દા પર કામ કરતા અધિકારીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોને છૂટા કરવામાં આવશે તેમાં મોટા ભાગના વરિષ્ઠ અધિકારીઓ હશે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપની જે લોકોને છૂટા કરવા જઈ રહી છે તેમાંથી 15 ટકા કર્મચારીઓ ઉચ્ચ પદ પર છે અને 5 ટકા કર્મચારીઓ નીચલા પદ પર કામ કરી રહ્યા છે.

નવા ચહેરાઓ મહત્વના પદ ઉપર જોવા મળશે

યુનિલિવરે જણાવ્યું કે આ ફેરફાર બાદ ઘણા જૂના કર્મચારીઓ પાછળ રહી જશે જ્યારે કેટલાક નવા ચહેરા પણ ઉમેરવામાં આવશે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે સંજીવ મહેતા( Sanjeev Mehta) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના એક્ઝિક્યુટિવ લીડરશીપમાં તેમની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુનિલિવર વિશ્વભરમાં 1.5 લાખ કર્મચારીઓ ધરાવે છે જેમાંથી 6,000 યુકે અને આયર્લેન્ડમાં કામ કરે છે. કંપનીએ હજુ સુધી છટણી અંગે વધુ સ્પષ્ટતા કરી નથી. તાત્પર્ય એ છે કે કયા દેશોમાં કેટલી છટણી થશે તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :  LIC IPO પહેલા કંપનીની આ માહિતી રોકાણકારોનો ઉત્સાહ બમણો કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">