Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unilever તેનું Restructuring કરશે, ફેરફાર સાથે 1500 કર્મચારીઓ બેરોજગાર બનશે

કંપનીના આ નિર્ણય બાદ યુનિલિવરમાં કામ કરતા 1500થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઈ છે જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે.

Unilever તેનું Restructuring કરશે, ફેરફાર સાથે 1500 કર્મચારીઓ બેરોજગાર બનશે
વિશ્વભરમાં કંપનીના 1500 કર્મચારીઓ રોજગારી ગુમાવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 2:24 PM

વિશ્વ વિખ્યાત FMCG પ્રોડક્ટ નિર્માતા યુનિલિવરે (Unilever) તેના બિઝનેસમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. યુકેની આ કંપનીએ તેના બિઝનેસનું પુનર્ગઠન કરવાનો મોટો નિર્ણય લીધો છે. કંપનીએ તેના બિઝનેસને 5 અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કર્યા છે. એક તરફ કંપની 5 કેટરગરીમાં વૃદ્ધિના પ્રયાસ કરી રહી છે તો સામે કંપનીની વૃદ્ધિ પાછળ ભૂમિકા ભજવનાર કર્મચારીઓ બેરોજગારીનું જોખમ પણ ઉભું થવાનું છે.

આ કેટેગરીમાં બ્યુટી એન્ડ વેલબીઇંગ, પર્સનલ કેર, હોમ કેર, ન્યુટ્રીશન અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. કંપની હવે આ 5 કેટેગરી પર ફોકસ કરશે. નવા ફેરફારો બાદ બ્યુટી પ્રોડક્ટ્સ અને પર્સનલ કેર અલગ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ તેના નિર્ણયમાં કહ્યું છે કે તમામ શ્રેણીઓ તેમની પોતાની વૃદ્ધિ અને વ્યૂહરચના માટે જવાબદાર રહેશે. જો કે, કંપની આ તમામ કેટેગરીઓને જરૂરી મદદ પૂરી પાડતી રહેશે.

વિશ્વભરમાં 1500 કર્મચારીઓ રોજગારી ગુમાવશે

કંપનીના આ નિર્ણય બાદ યુનિલિવરમાં કામ કરતા 1500થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઈ છે જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ આ મોટા નિર્ણય બાદ વિશ્વભરમાં 1500 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આમાં નાના હોદ્દા પર કામ કરતા કર્મચારીઓથી લઈને મોટા હોદ્દા પર કામ કરતા અધિકારીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોને છૂટા કરવામાં આવશે તેમાં મોટા ભાગના વરિષ્ઠ અધિકારીઓ હશે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપની જે લોકોને છૂટા કરવા જઈ રહી છે તેમાંથી 15 ટકા કર્મચારીઓ ઉચ્ચ પદ પર છે અને 5 ટકા કર્મચારીઓ નીચલા પદ પર કામ કરી રહ્યા છે.

દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
SBI માંથી 30 લાખની હોમ લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ?

નવા ચહેરાઓ મહત્વના પદ ઉપર જોવા મળશે

યુનિલિવરે જણાવ્યું કે આ ફેરફાર બાદ ઘણા જૂના કર્મચારીઓ પાછળ રહી જશે જ્યારે કેટલાક નવા ચહેરા પણ ઉમેરવામાં આવશે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે સંજીવ મહેતા( Sanjeev Mehta) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના એક્ઝિક્યુટિવ લીડરશીપમાં તેમની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુનિલિવર વિશ્વભરમાં 1.5 લાખ કર્મચારીઓ ધરાવે છે જેમાંથી 6,000 યુકે અને આયર્લેન્ડમાં કામ કરે છે. કંપનીએ હજુ સુધી છટણી અંગે વધુ સ્પષ્ટતા કરી નથી. તાત્પર્ય એ છે કે કયા દેશોમાં કેટલી છટણી થશે તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :  LIC IPO પહેલા કંપનીની આ માહિતી રોકાણકારોનો ઉત્સાહ બમણો કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">