38 લાખ રોકાણકારો માટે ખુશખબર, અનિલ અંબાણીના ‘Power’એ બતાવ્યો પાવર, શેર બની ગયો રોકેટ

રિલાયન્સ પાવર એક સમયે શેરબજારની મનપસંદ કંપનીઓમાંની એક હતી. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના રિટેલ રોકાણકારોની સંખ્યા 38 લાખ છે. 2008માં આ કંપનીના IPOને રેકોર્ડ બિડ મળી હતી.

38 લાખ રોકાણકારો માટે ખુશખબર, અનિલ અંબાણીના 'Power'એ બતાવ્યો પાવર, શેર બની ગયો રોકેટ
Anil Ambani
Follow Us:
| Updated on: Jun 11, 2024 | 1:25 PM

દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી (Anil Ambani)ની કંપની રિલાયન્સ પાવર (Reliance Power)ના રોકાણકારો માટે સારા સમાચાર છે. આજે બજાર ખુલતાની સાથે જ કંપનીના શેર અપર સર્કિટ પર પહોંચી ગયા હતા. તે BSE પર 10 ટકાના વધારા સાથે રૂ. 28.67 પર પહોંચ્યો હતો. છેલ્લા સત્રમાં તે રૂ. 26.07 પર બંધ રહ્યો હતો.

કંપની કહે છે કે તેણે તેનું તમામ દેવું ચૂકવી દીધું છે અને હવે તે એકલ ધોરણે દેવું મુક્ત કંપની બની ગઈ છે. કંપની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની લોન બાકી હતી જે બેંકોને ચૂકવવામાં આવી છે. જેના કારણે આજે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ વધારા સાથે કંપનીનું માર્કેટ કેપ 11,408.20 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, Axis Bank અને DBS સહિત વિવિધ બેંકો સાથે ઘણા લોન સેટલમેન્ટ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીએ હવે આ બેંકોની સંપૂર્ણ લોન ચૂકવી દીધી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડિસેમ્બર 2023માં, રિલાયન્સ પાવરે અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDCને રૂ. 128 કરોડમાં વેચ્યા હતા. માર્ચ 2024માં, કંપનીએ મહારાષ્ટ્રના વોશપેટમાં તેનો 45 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચ્યો હતો.

કેવી રીતે ચુકવશે દેવું

કંપનીએ આ પ્રોજેક્ટ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કર્યો છે. રિલાયન્સ પાવર 38 લાખથી વધુ રિટેલ રોકાણકારોની ભાગીદારી સાથે રૂ. 4,016 કરોડનો શેર બેઝ ધરાવે છે.

રિલાયન્સ પાવર 5900 મેગાવોટની ઓપરેટિંગ ક્ષમતા ધરાવે છે, જેમાં ઉત્તર પ્રદેશમાં 3960 મેગાવોટ સાસન અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ (UMPP) અને 1200 મેગાવોટના રોઝા થર્મલ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાસન UMPP એ વિશ્વના સૌથી મોટા સંકલિત કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાંનું એક છે. રિલાયન્સ પાવરનો 52 વીક હાઇ પ્રાઇસ રૂ. 34.35 અને 52 વીક લો રૂ. 13.80 છે.

રિલાયન્સ પાવર એક સમયે શેરબજારની મનપસંદ કંપનીઓમાંની એક હતી. રોકાણકારો દરેક એક શેર માટે ઉત્સુક હતા. જાન્યુઆરી 2008માં તેના IPOને રેકોર્ડ બિડ મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરતા રિટેલ રોકાણકારોની સંખ્યા વધુ છે. તે સમયે રિલાયન્સ પાવરના શેરની કિંમત 261 રૂપિયાની આસપાસ હતી. 2007માં ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ અનિલ અંબાણીની તે સમયે કુલ સંપત્તિ 45 અબજ ડોલર હતી. તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ આજે તેમની ઘણી કંપનીઓ વેચાવાના આરે છે અને તેમની નેટવર્થ ઝીરો થઈ ગઈ છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">