AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે

IMPS એટલે તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સેવા (Immediate Payment Service) છે. સરળ શબ્દોમાં કહીએ તો, IMPS દ્વારા તમે કોઈપણ ખાતા ધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો.

RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે
Paytm IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:48 AM
Share

જો તમે ઈન્ટરનેટ બેંકિંગ(Internet Banking) દ્વારા પૈસાની લેવડદેવડ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંકે IMPS (Immediate Payment Service) દ્વારા કરવામાં આવતા વ્યવહારોની મર્યાદામાં વધારો કર્યો છે. હવે 2 લાખ રૂપિયાને બદલે તમે એક દિવસમાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે હવે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરવાનું સરળ બની ગયું છે. RBI એ ગ્રાહકોની સુવિધા માટે આ નિર્ણય લીધો છે. હવે RTGS નો સમય 24X7 થઈ ગયો છે એટલે કે તમે કોઈપણ સમયે RTGS મારફતે ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

IMPS શું છે IMPS એટલે તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સેવા (Immediate Payment Service) છે. સરળ શબ્દોમાં કહીએ તો, IMPS દ્વારા તમે કોઈપણ ખાતા ધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો. આમાં પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે IMPS મારફતે ગમે ત્યારે સેકંડમાં, દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

RTGS અને IMPS દ્વારા કેટલા પૈસા ટ્રાન્સફર થાય છે NEFT સિવાય ગ્રાહકો RTGS અને IMPS નો ઉપયોગ કરીને પણ નાણાં ટ્રાન્સફર કરી શકે છે. RTGS ની વાત કરીએ તો હાલ એક સમયે 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર કરી શકાતી નથી જ્યારે વિવિધ બેંકોમાં મહત્તમ રકમની મર્યાદા અલગ છે. IMPS દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ રિયલ ટાઈમમાં ટ્રાન્સફર કરી શકાય છે જે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

NEFT માટે કોઈ લિમિટ નથી તમને જણાવી દઈએ કે NEFT દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે કોઈ ન્યૂનતમ મર્યાદા નથી એટલે કે તમે કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. બીજી બાજુ જો આપણે મહત્તમ મર્યાદા વિશે વાત કરીએ તો તે બેંકો અનુસાર બદલાઈ શકે છે.

રેપો રેટ 4% પર યથાવત રખાયો  શુક્રવારે ત્રણ દિવસની બેઠક બાદ RBIના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) કહ્યું કે ‘આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત રહેશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વવાળી નાણાકીય નીતિ સમિતિ (MPC) એ છેલ્લી વાર 22 મે 2020 ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.

આ પણ વાંચો : Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ

આ પણ વાંચો : પહેલા 6 મહિનાના ગાળામાં એક્સપોર્ટનો આંકડો 200 બિલિયન ડોલર પર પહોંચ્યો, જાણો આ વિશે પિયુષ ગોયલે શું કહ્યું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">