Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો

દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધીમાં અનક્લેઈમ ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ, 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું.

IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો
Life Insurance Corporation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:40 AM

Life Insurance Corporation: કોરોના રોગચાળાને કારણે જીવન વીમા નિગમ (LIC) ની કુલ વ્યક્તિગત અને ગ્રુપ પોલિસીના વેચાણમાં ઘટાડો થયો છે. LIC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશની અગ્રણી વીમા કંપનીની વ્યક્તિગત અને જૂથ પોલિસીનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19માં 7.5 કરોડ અથવા 16.76 ટકા ઘટીને નાણાકીય વર્ષ 2019-20માં 6.24 કરોડ થઈ ગયું હતું. નાણાકીય વર્ષ 2020-21માં તે 15.84 ટકા ઘટીને 5.25 કરોડ થઈ ગયો છે.

લોકડાઉનમાં 22.66 ટકાનો ઘટાડો

કંપનીએ કહ્યું છે કે રોગચાળા અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે 2019-20ના ચોથા ક્વાર્ટરમાં વ્યક્તિગત પોલિસીનું વેચાણ 22.66 ટકા ઘટીને 63.5 લાખ થઈ ગયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 82.1 લાખ હતું. તેની અસર 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, તે અનુક્રમે 46.20 ટકા ઘટીને 19.1 લાખ અને પછી 34.93 ટકા ઘટીને 23.1 લાખ થયું હતું.

21,539 કરોડ ફંડના દાવેદાર નથી

આ સિવાય તમને જણાવી દઈએ કે ભારતીય જીવન વીમા નિગમ પાસે સપ્ટેમ્બર 2021 સુધી 21,539 કરોડ રૂપિયાનું એવું ફંડ હતું, જેમાં ‘દાવેદારો’ નહોતા. LIC દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સાથે સબમિટ કરવામાં આવેલા પ્રારંભિક જાહેર ભરણા (IPO) દસ્તાવેજમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. દસ્તાવેજો અનુસાર આમાં દાવો ન કરેલી રકમ પર વ્યાજ પણ સામેલ છે.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

વર્ષ 2021માં 18,495 કરોડનું ફંડ હતું

દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધીમાં અનક્લેઈમ ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ, 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું. તે જ સમયે માર્ચ, 2019ના અંત સુધીમાં આ રકમ રૂ. 13,843.70 કરોડ હતી.

1000 રૂપિયાથી વધુ રકમ માટે વિગતો આપવાની રહેશે

દરેક વીમા કંપનીએ પોતાની વેબસાઈટ પર 1,000 રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો મૂકવી પડશે. વેબસાઇટને પોલિસીધારકો અથવા લાભાર્થીઓને દાવો ન કરેલી રકમની ચકાસણીની સુવિધા પણ પૂરી પાડવાની જરૂર છે.

IRDA એ માહિતી આપી

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) દ્વારા દાવો ન કરાયેલી રકમ અંગેના પરિપત્રમાં આ અંગેની કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે. આ પ્રક્રિયાઓમાં દાવો ન કરેલી રકમની ચુકવણી, પોલિસીધારકોને માહિતી, એકાઉન્ટિંગ અને રોકાણની આવકનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Gold Price Today : એકજ દિવસમાં સોનુ 850 રૂપિયા સસ્તું થયું, જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવ

આ પણ વાંચો : શ્રીનગરને ગેસ ગ્રીડ સાથે જોડશે GAIL, મે 2023 સુધીમાં તૈયાર થઈ જશે મુંબઈ-નાગપુર લાઈન

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">