AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો

દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધીમાં અનક્લેઈમ ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ, 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું.

IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો
Life Insurance Corporation
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:40 AM
Share

Life Insurance Corporation: કોરોના રોગચાળાને કારણે જીવન વીમા નિગમ (LIC) ની કુલ વ્યક્તિગત અને ગ્રુપ પોલિસીના વેચાણમાં ઘટાડો થયો છે. LIC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશની અગ્રણી વીમા કંપનીની વ્યક્તિગત અને જૂથ પોલિસીનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19માં 7.5 કરોડ અથવા 16.76 ટકા ઘટીને નાણાકીય વર્ષ 2019-20માં 6.24 કરોડ થઈ ગયું હતું. નાણાકીય વર્ષ 2020-21માં તે 15.84 ટકા ઘટીને 5.25 કરોડ થઈ ગયો છે.

લોકડાઉનમાં 22.66 ટકાનો ઘટાડો

કંપનીએ કહ્યું છે કે રોગચાળા અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે 2019-20ના ચોથા ક્વાર્ટરમાં વ્યક્તિગત પોલિસીનું વેચાણ 22.66 ટકા ઘટીને 63.5 લાખ થઈ ગયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 82.1 લાખ હતું. તેની અસર 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, તે અનુક્રમે 46.20 ટકા ઘટીને 19.1 લાખ અને પછી 34.93 ટકા ઘટીને 23.1 લાખ થયું હતું.

21,539 કરોડ ફંડના દાવેદાર નથી

આ સિવાય તમને જણાવી દઈએ કે ભારતીય જીવન વીમા નિગમ પાસે સપ્ટેમ્બર 2021 સુધી 21,539 કરોડ રૂપિયાનું એવું ફંડ હતું, જેમાં ‘દાવેદારો’ નહોતા. LIC દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સાથે સબમિટ કરવામાં આવેલા પ્રારંભિક જાહેર ભરણા (IPO) દસ્તાવેજમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. દસ્તાવેજો અનુસાર આમાં દાવો ન કરેલી રકમ પર વ્યાજ પણ સામેલ છે.

વર્ષ 2021માં 18,495 કરોડનું ફંડ હતું

દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધીમાં અનક્લેઈમ ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ, 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું. તે જ સમયે માર્ચ, 2019ના અંત સુધીમાં આ રકમ રૂ. 13,843.70 કરોડ હતી.

1000 રૂપિયાથી વધુ રકમ માટે વિગતો આપવાની રહેશે

દરેક વીમા કંપનીએ પોતાની વેબસાઈટ પર 1,000 રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો મૂકવી પડશે. વેબસાઇટને પોલિસીધારકો અથવા લાભાર્થીઓને દાવો ન કરેલી રકમની ચકાસણીની સુવિધા પણ પૂરી પાડવાની જરૂર છે.

IRDA એ માહિતી આપી

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) દ્વારા દાવો ન કરાયેલી રકમ અંગેના પરિપત્રમાં આ અંગેની કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે. આ પ્રક્રિયાઓમાં દાવો ન કરેલી રકમની ચુકવણી, પોલિસીધારકોને માહિતી, એકાઉન્ટિંગ અને રોકાણની આવકનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Gold Price Today : એકજ દિવસમાં સોનુ 850 રૂપિયા સસ્તું થયું, જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવ

આ પણ વાંચો : શ્રીનગરને ગેસ ગ્રીડ સાથે જોડશે GAIL, મે 2023 સુધીમાં તૈયાર થઈ જશે મુંબઈ-નાગપુર લાઈન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">