AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીનગરને ગેસ ગ્રીડ સાથે જોડશે GAIL, મે 2023 સુધીમાં તૈયાર થઈ જશે મુંબઈ-નાગપુર લાઈન

ગેઇલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ જૈને જણાવ્યું હતું કે મહત્વાકાંક્ષી ઉર્જા ગંગા પ્રોજેક્ટનો મોટો હિસ્સો શેડ્યૂલ મુજબ 2022ના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે.

શ્રીનગરને ગેસ ગ્રીડ સાથે જોડશે GAIL, મે 2023 સુધીમાં તૈયાર થઈ જશે મુંબઈ-નાગપુર લાઈન
Gail (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:55 PM
Share

જાહેર ક્ષેત્રની સંસ્થા ગેલ-ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના (GAIL– Gas Authority of India Limited) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ જૈને (Manoj Jain) જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં ઈકો-ફ્રેન્ડલી કુદરતી ગેસ લઈ જવા માટે કંપની શ્રીનગરમાં પાઈપલાઈન નાખવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે તેને બિન-આધારિત અર્થતંત્ર બનાવવાના સરકારના ધ્યેયને પૂર્ણ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ગેઈલ મે 2023 સુધીમાં મુંબઈથી નાગપુર સુધીની 700 કિમીની પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ કરશે, જે મધ્ય ભારતને (Central India) ગેસ પૂરો પાડશે.

2030 સુધીમાં કુદરતી ગેસનો હિસ્સો 6.7થી વધારીને 15 ટકા કરવાનો લક્ષ્યાંક

ગેઈલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ જૈને જણાવ્યું હતું કે મહત્વાકાંક્ષી ઉર્જા ગંગા પ્રોજેક્ટનો મોટો હિસ્સો શેડ્યૂલ મુજબ 2022ના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પ્રોજેક્ટ પૂર્વ ભારતને ઊર્જાના નકશા પર મૂકશે. ભારતે તેની ઊર્જા જરૂરિયાતોમાં કુદરતી ગેસનો હિસ્સો વર્તમાન 6.7 ટકાથી વધારીને 2030 સુધીમાં 15 ટકા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

મનોજ જૈને પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે “અમે ગુરદાસપુર (પંજાબમાં)થી થઈને જમ્મુના રસ્તે શ્રીનગર સુધી 425 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવા માટે રેગ્યુલેટર (PNGRB) પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છીએ.”

ઈંધણની કિંમત ઓછી રાખવા કુદરતી ગેસ પર વેટ ન વસૂલવાનો નિર્દેશ

દુર્ગમ ભૌગોલિક વિસ્તાર અને બહુ ઓછા ગ્રાહકોને લીધે આ પ્રોજેક્ટને સરકાર તરફથી સંભવિતતા ગેપ ફંડિંગની જરૂર છે. તેમણે કહ્યું કે “આ પ્રોજેક્ટ 3-4 વર્ષમાં પૂર્ણ થશે.” આ સાથે જ ઓઈલ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર સરકારને ઈંધણની કિંમત ઓછી રાખવા માટે કુદરતી ગેસ પર વેટ ન લગાવવા જણાવ્યું છે.

ગેઇલ દ્વારા મુંબઈથી ઝારસુગુડા (ઓડિશા) થઈને નાગપુર અને છત્તીસગઢના રાયપુર સુધી 1,405 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જૈને કહ્યું, નાગપુર સુધીનો વિસ્તાર મે 2023 સુધીમાં કાર્યરત થઈ જશે અને બાકીનો ભાગ આગામી બે વર્ષમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો :  Surat : રશિયા-યુક્રેનની યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ, જવેલરી એક્સપોર્ટમાં વિલંબની સંભાવના, છૂટક વેચાણ 40 ટકા ઘટ્યું

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">