Mukesh Ambaniને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો! Amazon-Future ડીલમાં Amazonની તરફેણમાં ચુકાદો આવ્યો, જાણો વિગતવાર

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે રિલાયન્સ રિટેલ સાથે ફ્યુચર રિટેલનો 3.4 અબજ ડોલરનો સોદો આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવા માટે યોગ્ય છે. આર્બિટ્રેટરે આ ડીલ પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો જે અંતર્ગત ફ્યુચર રિટેલે પોતાનો સમગ્ર વ્યવસાય રિલાયન્સ રિટેલને વેચી દીધો હતો.

Mukesh Ambaniને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો! Amazon-Future ડીલમાં Amazonની તરફેણમાં ચુકાદો આવ્યો, જાણો વિગતવાર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:59 AM

Amazon Future Deal: મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ રિટેલ(Reliance Retail) અને કિશોર બિયાની(Kishore Biyani)ના ફ્યુચર ગ્રુપ (Future Group)વચ્ચેના 24,713 કરોડ રૂપિયાના સોદામાં મુકેશ અંબાણીને મોટો આંચકો લાગ્યો છે. આ સોદાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં થઈ હતી. સુપ્રીમ કોર્ટે એમેઝોન(Amazon)ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં ઇમરજન્સી આર્બિટ્રેટર(Emergency Arbitrator)નો નિર્ણય લાગુ કરવા યોગ્ય છે. ઇમરજન્સી આર્બિટ્રેટરે ફ્યુચર રિટેલના સોદા પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે રિલાયન્સ રિટેલ સાથે ફ્યુચર રિટેલનો 3.4 અબજ ડોલરનો સોદો આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવા માટે યોગ્ય છે. આર્બિટ્રેટરે આ ડીલ પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો જે અંતર્ગત ફ્યુચર રિટેલે પોતાનો સમગ્ર વ્યવસાય રિલાયન્સ રિટેલને વેચી દીધો હતો. એમેઝોને રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેની આ ડીલનો અલગ અલગ કોર્ટમાં વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેટર સેન્ટર (SIAC) ને ઇમરજન્સી આર્બિટ્રેટર કહેવામાં આવે છે.

રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ઓગસ્ટ 2020 માં સોદો થયો હતો સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેટરે ઓક્ટોબર 2020 માં રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેના સોદા પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો. આ સાથે ત્રણ સભ્યોની પેનલ પણ બનાવવામાં આવી હતી. અત્યાર સુધી આ પેનલે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો નથી. ઓગસ્ટ 2020 માં રિલાયન્સ રિટેલે ફ્યુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયો ખરીદવાની જાહેરાત કરી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જાણો એમેઝોનનો વિરોધ શું છે એમેઝોને ડિસેમ્બર 2019 માં ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ઓગસ્ટ 2020 માં, જ્યારે ફ્યુચર ગ્રુપે રિલાયન્સ રિટેલને પોતાનો સમગ્ર રિટેલ બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો ત્યારે એમેઝોને તેનો વિરોધ કર્યો હતો. એમેઝોને કહ્યું કે આ ફ્યુચર-એમેઝોન વચ્ચેના કરારની વિરુદ્ધ છે. આ પછી એમેઝોને આ સોદા વિરુદ્ધ જુદી જુદી અદાલતોમાં અપીલ દાખલ કરી હતી. ઓક્ટોબરમાં SIAC એ એમેઝોનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો.

RIL ના શેરમાં અઢી ટકાનો ઘટાડો આ સમાચાર બહાર આવ્યા બાદ રિલાયન્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે ૧૧:૪૫ વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૨.૪૮ ટકા મુજબ રૂ. ૫૨.૮૫ ઘટીને રૂ. 2,081.40 ના સ્તરે આવી ગયો. રિલાયન્સના ઘટાડાને કારણે બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટના ઘટાડા સાથે 54,272.43 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. રિલાયન્સ હાલમાં સેન્સેક્સમાં TOP LOSER છે.

આ પણ વાંચો :  RBI Monetary Policy: વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો શું કહ્યું RBI ગવર્નરે

આ પણ વાંચો :  LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો નિયમમાં શું બદલાવ કરી રહી છે સરકાર

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">