Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Price: તહેવાર પહેલા મોટો ઝટકો, ખાંડના ભાવમાં થયો વધારો, 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે

ખાંડના ભાવમાં થયેલા વધારા બાદ વેપારીઓ અને ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, જે શેરડીના ઉત્પાદનને અસર કરી શકે છે. જો પાકની સીઝન 2023-24માં શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડ વધુ મોંઘી થઈ શકે છે.

Sugar Price: તહેવાર પહેલા મોટો ઝટકો, ખાંડના ભાવમાં થયો વધારો, 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે
Sugar Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 7:19 PM

દેશમાં મોંઘવારી (Inflation) ઓછી થવાનું નામ નથી લઈ રહી. કઠોળ, ચોખા, ઘઉં, ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ખાંડ (Sugar Price) ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 3 ટકાનો વધારો થયો છે. જેના કારણે છૂટક બજારમાં પણ ખાંડના ભાવ મોંઘા થયા છે. મંગળવારે ખાંડના ભાવ વધીને રૂ. 37,760 ($454.80) પ્રતિ મેટ્રિક ટન થયા, જે ઓક્ટોબર 2017 પછી સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે ખાંડની કિંમતમાં 3 ટકાના વધારાને કારણે તેની કિંમત છેલ્લા 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે.

ખાંડના ભાવમાં થયેલા વધારા બાદ વેપારીઓ અને ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, જે શેરડીના ઉત્પાદનને અસર કરી શકે છે. જો પાકની સીઝન 2023-24માં શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડ વધુ મોંઘી થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ખાંડના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી દર વધી શકે છે.

ખેડૂતોને સમયસર મળશે રૂપિયા

બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે, જો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. તેના કારણે શેરડીનું ઉત્પાદન ઘટી શકે છે, જેના કારણે ખાંડના ભાવમાં વધુ વધારો થશે. ડીલરોએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો દ્વારિકેશ સુગર, શ્રી રેણુકા સુગર્સ, બલરામપુર ચીની અને દાલમિયા ભારત સુગર જેવા ઉત્પાદકોના માર્જિનમાં સુધારો કરશે. જેના કારણે તેઓ ખેડૂતોને સમયસર ચૂકવણી કરી શકશે.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

મોંઘવારીનો માર સહન કરવો પડશે

ખાંડ ઉત્પાદનની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઓછા વરસાદને કારણે ખાંડના ઉત્પાદનમાં 3.3 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે ખાંડનું ઉત્પાદન 31.7 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. તેથી જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે.

આ પણ વાંચો : Investment Tips: ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલમાં રોકાણ કરવું બન્યું સરળ, સરકાર આપશે ગેરેન્ટેડ રીટર્ન

પુરવઠાની અસરને કારણે ભાવ વધશે

અશોક જૈનના મતે જો ખાંડની કિંમત આ રીતે વધતી રહેશે તો કેન્દ્ર સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પણ લઈ શકે છે. જેથી સ્થાનિક બજારમાં તેની કિંમતો ઘટાડી શકાય. મુંબઈ સ્થિત એક વેપારીએ જણાવ્યું હતું કે, આગામી મહિનામાં ખાંડના ભાવમાં વધુ વધારો થઈ શકે છે કારણ કે સ્ટોક ઘટી રહ્યો છે. તહેવારોની સિઝનમાં ખાંડનો વપરાશ વધશે. તેથી સપ્લાય પ્રભાવિત થવાને કારણે ભાવ વધશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">