AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Navami Stock Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, અડધો દિવસ સોનું નહીં વેચાય

Ram Navami Stock Market Holiday: ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. દેશના કરોડો લોકો આ દિવસે ઉપવાસ કરે છે. આજે રામનવમી નિમિત્તે શેરબજાર, કોમોડિટી માર્કેટ, કરન્સી માર્કેટ તમામ બંધ રહેશે.

Ram Navami Stock Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, અડધો દિવસ સોનું નહીં વેચાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:20 AM
Share

Ram Navami Stock Market Holiday: આજે 30 માર્ચ ગુરુવારે રામ નવમીની રજાના કારણે શેરબજાર સાથે કોમોડિટી માર્કેટ પણ બંધ રહેશે. BSE એ તેની વેબસાઈટ bseindia.com પર 2023 માં ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટ માટે 15 રજાઓની યાદી જાહેર કરી છે. ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. દેશના કરોડો લોકો આ દિવસે ઉપવાસ કરે છે. આજે રામનવમી નિમિત્તે શેરબજાર, કોમોડિટી માર્કેટ, કરન્સી માર્કેટ તમામ બંધ રહેશે. જોકે, કોમોડિટી માર્કેટનું સાંજનું સત્ર સાંજે 5 વાગ્યે ખુલશે.ભારતમાં આગામી શેરબજારની રજા NSE અને BSE પર 4 એપ્રિલના રોજ મહાવીર જયંતિ નિમિત્તે રહેશે. આ દિવસે તમામ સેગમેન્ટમાં કોઈ વેપાર થશે નહીં.

શું MCX બંધ રહેશે?

ભારતનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) આજે  30 માર્ચે સવારના સત્રમાં વેપાર કરશે નહીં પરંતુ સાંજના 5 વાગ્યાથી 11:55 વાગ્યા સુધી વેપાર કરશે. વ્યવસાય ચાલુ રહેશે. જ્યાં સુધી કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો સંબંધ છે ત્યાં સુધી વેપાર સાંજના સત્રમાં જ થશે.

આ પણ વાંચો : SEBI એ બે કંપનીને ફટકાર્યો 36 કરોડનો દંડ, જાણો શું છે કારણ

બજાર 7 દિવસ બંધ રહેશે

એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આગામી 10 દિવસમાં 3 દિવસ માર્કેટમાં રજા રહેશે. આ સિવાય 4 દિવસનો વીકેન્ડ રહેશે. આ સંદર્ભમાં 11માંથી 7 દિવસ બજારમાં કોઈ ટ્રેડિંગ નથી. તેથી જો કોઈ લાંબા પ્રવાસ પર જવા માંગે છે તો આ 10 દિવસ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. કારણ કે બજાર દિવસના મોટા ભાગના સમય માટે બંધ રહેશે.  ડિપોઝિટરી ડેટા અનુસાર ભારતમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ 11.25 કરોડ એકાઉન્ટ્સ છે. કોરોના બાદ ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે.

BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર 30 માર્ચ, 4 એપ્રિલ અને 7 એપ્રિલે ટ્રેડિંગ બંધ રહેશે. આજે 30 માર્ચ એટલે કે ગુરુવારે રામ નવમીના અવસર પર બજારો બંધ રહેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે શુક્રવારે ટ્રેડિંગ થશે. મહાવીર જયંતિ નિમિત્તે 4 એપ્રિલે એટલે કે મંગળવારના રોજ બજારમાં રજા રહેશે. બુધવાર અને ગુરુવારે બજાર ખુલ્લું રહેશે. ત્યારબાદ 7 એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજાર બંધ રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">