AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO Vs FPO : ગૌતમ અદાણી દ્વારા ચર્ચામાં આવેલ રોકાણની યોજના શું છે? જાણો FPO અને IPO વચ્ચેનો તફાવત

IPO Vs FPO : 27 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝે તેને 20 હજાર કરોડ એકત્ર કરવા માટે બહાર પાડ્યું. અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો પરંતુ હવે કંપનીએ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે FPOમાં રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલા નાણાં તેમને પરત કરવામાં આવશે.

IPO Vs FPO : ગૌતમ અદાણી દ્વારા ચર્ચામાં આવેલ રોકાણની યોજના શું છે? જાણો FPO અને IPO વચ્ચેનો તફાવત
IPO Vs FPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:25 AM
Share

IPO Vs FPO : અદાણી ગ્રૂપ દ્વારા તેની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસને ફોલો ઓન પબ્લિક ઑફર એટલેકે FPO સ્થગિત કરવાની જાહેરાત કરી છે. અદાણીનો FPO છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આપણે મોટેભાગે IPO વિષે સાંભળતા આવ્યા છે પણ ઘણા લોકો માટે FPO  એ નવો શબ્દ છે. હવે મનમાં પ્રશ્ન ઉઠે કે IPO અને FPO વચ્ચે તફાવત શું છે ? બન્ને જયારે રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરી રહ્યા છે ત્યારે IPO  અને FPO  વચ્ચેનો ફર્ક એક સામાન્ય રોકાણકાર માટે મનમાં અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે? આ અહેવાલમાં અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

FPO

FPO શું છે?

ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) એ એક પ્રક્રિયા છે જેના દ્વારા ભારતીય બજારોમાં પહેલેથી જ સૂચિબદ્ધ કંપની વર્તમાન શેરધારકો અથવા રોકાણકારોને નવા શેર જારી કરે છે. એટલે કે જે કંપની પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે, તે રોકાણકારોને નવા શેર ઓફર કરે છે. આ બજારમાં હાજર સ્ટોક કરતાં અલગ છે. સામાન્ય રીતે, મોટાભાગના શેર પ્રમોટરો દ્વારા જારી કરવામાં આવે છે. FPO નો ઉપયોગ કંપનીના ઇક્વિટી બેઝમાં વિવિધતા લાવવા માટે થાય છે. એકવાર સૂચિબદ્ધ થયા પછી, જો નવા શેર જારી કરવાના હોય, તો તે કિસ્સામાં FPO નો ઉપયોગ કરવામાં આવે છે. કંપની નવી શેર મૂડી એકત્ર કરવા અથવા તેનું દેવું ચૂકવવા માટે FPO લાવે છે.

FPO IPO

IPO અને FPO વચ્ચે તફાવત શું છે?

કંપનીઓ પોતાનો વિસ્તાર કરવા માટે આઈપીઓ અથવા એફપીઓ દ્વારા બજારમાંથી ભંડોળ એકત્ર કરે છે. આ ભંડોળનો ઉપયોગ રોકડ પ્રવાહની જરૂરિયાતોને પહોંચી વળવા અથવા વ્યવસાયને વધારવા માટે થાય છે. કંપનીએ પ્રથમ વખત IPO દ્વારા તેના શેર બજારમાં ઉતરે છે જ્યારે FPOમાં વધારાના શેર બજારમાં લાવવામાં આવે છે. IPOમાં શેરના વેચાણ માટે એક નિશ્ચિત કિંમત હોય છે જેને પ્રાઇસ બેન્ડ કહેવામાં આવે છે. તે જ સમયે, એફપીઓના સમયે શેરની પ્રાઇસ બેન્ડ બજારમાં હાજર શેરની કિંમત કરતાં ઓછી રાખવામાં આવે છે.

27 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝે તેને 20 હજાર કરોડ એકત્ર કરવા માટે બહાર પાડ્યું. અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો પરંતુ હવે કંપનીએ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે FPOમાં રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલા નાણાં તેમને પરત કરવામાં આવશે.

Follow Us
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">