AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group : ગૌતમ અદાણીએ મૌન તોડ્યું, જાણો વિનોદ અદાણી સાથે અદાણી ગ્રુપના સંબંધ વિશે શું કહ્યું?

અદાણી ગ્રૂપે જાન્યુઆરીમાં આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે વિનોદ અદાણી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ અથવા તેની પેટાકંપનીઓમાં કોઈ મેનેજરીયલ હોદ્દો ધરાવતા નથી અને તેમની રોજબરોજની બાબતોમાં તેમની કોઈ ભૂમિકા નથી.

Adani Group : ગૌતમ અદાણીએ મૌન તોડ્યું, જાણો વિનોદ અદાણી સાથે અદાણી ગ્રુપના સંબંધ વિશે  શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:38 AM
Share

Adani Group : અદાણી ગ્રૂપના વિનોદ અદાણીનું નામ અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં સૌથી વધુ વખત આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશમાં રહેતા વિનોદ અદાણીએ અદાણી ગ્રુપમાં છેતરપિંડી માટે ઓફશોર કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણી અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની માલિકી ધરાવતી કંપનીઓને નિયંત્રિત કરે છે. અદાણી ગ્રુપે પહેલીવાર વિનોદ અદાણી સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું છે. જૂથે જણાવ્યું હતું કે વિનોદ અદાણી પ્રમોટર જૂથનો હિસ્સો છે.

અદાણી ગ્રુપનું નિવેદન

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે ગુરુવારે શેરબજારને જણાવ્યું હતું કે “અમે જણાવવા માંગીએ છીએ કે ગૌતમ અદાણી અને રાજેશ અદાણી અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના વ્યક્તિગત પ્રમોટર્સ છે અને વિનોદ અદાણી વ્યક્તિના નજીકના સંબંધી છે” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિનોદ અદાણી  ભારતીય નિયમો અનુસાર અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર ગ્રૂપનો હિસ્સો છે. હિંડનબર્ગે અદાણી ગ્રૂપ અંગેના તેમના અહેવાલમાં 74 વર્ષીય વિનોદની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે શેરની કિંમતમાં વધારો કરવા માટે હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડી કરી હતી.

વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક

અદાણી ગ્રૂપે જાન્યુઆરીમાં આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે વિનોદ અદાણી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ અથવા તેની પેટાકંપનીઓમાં કોઈ મેનેજરીયલ હોદ્દો ધરાવતા નથી અને તેમની રોજબરોજની બાબતોમાં તેમની કોઈ ભૂમિકા નથી. શેરબજારને આપેલી માહિતી મુજબ વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે. IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 મુજબ વિનોદ અદાણી સૌથી ધનિક NRI છે. ગયા વર્ષે તેમની નેટવર્થમાં 28 ટકા એટલે કે રૂ. 37,400 કરોડનો વધારો થયો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં એક મહિના કરતાં વધુ સમયથી ભારે ઘટાડો થયો હતો અને ગ્રુપની માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો હતો. જો કે અદાણી ગ્રુપે રિપોર્ટમાં લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડના અધિગ્રહણની જાહેરાત કરી હતી. જો કે, સોદા સમયે જૂથે એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ ડીલ સ્વિસ કંપની હોલ્સિમ સાથે કરવામાં આવી હતી.

જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">