AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group : ગૌતમ અદાણીએ મૌન તોડ્યું, જાણો વિનોદ અદાણી સાથે અદાણી ગ્રુપના સંબંધ વિશે શું કહ્યું?

અદાણી ગ્રૂપે જાન્યુઆરીમાં આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે વિનોદ અદાણી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ અથવા તેની પેટાકંપનીઓમાં કોઈ મેનેજરીયલ હોદ્દો ધરાવતા નથી અને તેમની રોજબરોજની બાબતોમાં તેમની કોઈ ભૂમિકા નથી.

Adani Group : ગૌતમ અદાણીએ મૌન તોડ્યું, જાણો વિનોદ અદાણી સાથે અદાણી ગ્રુપના સંબંધ વિશે  શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:38 AM
Share

Adani Group : અદાણી ગ્રૂપના વિનોદ અદાણીનું નામ અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં સૌથી વધુ વખત આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશમાં રહેતા વિનોદ અદાણીએ અદાણી ગ્રુપમાં છેતરપિંડી માટે ઓફશોર કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણી અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની માલિકી ધરાવતી કંપનીઓને નિયંત્રિત કરે છે. અદાણી ગ્રુપે પહેલીવાર વિનોદ અદાણી સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું છે. જૂથે જણાવ્યું હતું કે વિનોદ અદાણી પ્રમોટર જૂથનો હિસ્સો છે.

અદાણી ગ્રુપનું નિવેદન

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે ગુરુવારે શેરબજારને જણાવ્યું હતું કે “અમે જણાવવા માંગીએ છીએ કે ગૌતમ અદાણી અને રાજેશ અદાણી અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના વ્યક્તિગત પ્રમોટર્સ છે અને વિનોદ અદાણી વ્યક્તિના નજીકના સંબંધી છે” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિનોદ અદાણી  ભારતીય નિયમો અનુસાર અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર ગ્રૂપનો હિસ્સો છે. હિંડનબર્ગે અદાણી ગ્રૂપ અંગેના તેમના અહેવાલમાં 74 વર્ષીય વિનોદની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે શેરની કિંમતમાં વધારો કરવા માટે હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડી કરી હતી.

વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક

અદાણી ગ્રૂપે જાન્યુઆરીમાં આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે વિનોદ અદાણી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ અથવા તેની પેટાકંપનીઓમાં કોઈ મેનેજરીયલ હોદ્દો ધરાવતા નથી અને તેમની રોજબરોજની બાબતોમાં તેમની કોઈ ભૂમિકા નથી. શેરબજારને આપેલી માહિતી મુજબ વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે. IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 મુજબ વિનોદ અદાણી સૌથી ધનિક NRI છે. ગયા વર્ષે તેમની નેટવર્થમાં 28 ટકા એટલે કે રૂ. 37,400 કરોડનો વધારો થયો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં એક મહિના કરતાં વધુ સમયથી ભારે ઘટાડો થયો હતો અને ગ્રુપની માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો હતો. જો કે અદાણી ગ્રુપે રિપોર્ટમાં લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડના અધિગ્રહણની જાહેરાત કરી હતી. જો કે, સોદા સમયે જૂથે એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ ડીલ સ્વિસ કંપની હોલ્સિમ સાથે કરવામાં આવી હતી.

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">