Adani Group વધુ એક વિવાદમાં સપડાયું, અંબુજા સિમેન્ટ અને ACCનો સાચા માલિક Gautm Adani નહીં !!!

Adani Group : ગત જાન્યુઆરીમાં હિંડનબર્ગે અદાણી જૂથને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  અમને વિનોદ અદાણી અને અદાણી પ્રાઈવેટ ફેમિલી ઓફિસના વડાસુબીર મિત્રા  સાથે જોડાયેલી ઓછામાં ઓછી 38 મોરિશિયન એન્ટિટી મળી છે.

Adani Group વધુ એક વિવાદમાં સપડાયું, અંબુજા સિમેન્ટ અને ACCનો સાચા માલિક Gautm Adani નહીં !!!
Follow Us:
| Updated on: Mar 16, 2023 | 7:42 AM

Adani Group : હિંડનબર્ગ રિપોર્ટ બાદ મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણીને લઈને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે ગૌતમ અદાણી બે સિમેન્ટ કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના વાસ્તવિક માલિક નથી જે અદાણી ગ્રુપે ગયા વર્ષે હસ્તગત કરી હતી. અંબુજા સિમેન્ટ્સ અને ACCની માલિકી ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની છે. અદાણી જૂથે સ્પષ્ટતા કરી છે કે ACC અને અંબુજા સિમેન્ટ્સનો બિઝનેસ વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ હેઠળ આવે છે. મતલબ કે સિમેન્ટ કંપનીના બિઝનેસ પર ગૌતમ અદાણીનું સીધું નિયંત્રણ નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડના અધિગ્રહણની જાહેરાત કરી હતી. જો કે, સોદા સમયે જૂથે એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ ડીલ સ્વિસ કંપની હોલ્સિમ સાથે કરવામાં આવી હતી.

આ સંપાદનનું કુલ મૂલ્ય 6.50 બિલિયન ડોલર છે. અદાણી ગ્રુપનું અત્યાર સુધીનું આ સૌથી મોટું એક્વિઝિશન છે. આ સાથે, તે દેશની મેન્યુફેક્ચરિંગ અને મટિરિયલ કેટેગરીમાં અત્યાર સુધીની સૌથી મોટી મર્જર અને એક્વિઝિશન ડીલ છે. હાલમાં, અંબુજા સિમેન્ટ્સ અને ACC પાસે વાર્ષિક 67.5 મિલિયન ટનની સંયુક્ત સ્થાપિત ક્ષમતા છે.

વિનોદ અદાણી પર પણ આરોપ મૂકવામાં આવ્યો

ગત જાન્યુઆરીમાં હિંડનબર્ગે અદાણી જૂથને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  અમને વિનોદ અદાણી અને અદાણી પ્રાઈવેટ ફેમિલી ઓફિસના વડાસુબીર મિત્રા  સાથે જોડાયેલી ઓછામાં ઓછી 38 મોરિશિયન એન્ટિટી મળી છે. અમને સાયપ્રસ, યુએઈ, સિંગાપોર અને વિવિધ કેરેબિયન ટાપુઓ જેવા અન્ય ટેક્સ હેવન્સમાં વિનોદ અદાણી સાથે જોડાયેલી સંસ્થાઓ પણ મળી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હિંડનબર્ગનો રિપોર્ટ જાન્યુઆરીમાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પર શેરની કિંમતમાં હેરાફેરી, કરચોરી સહિતના અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે, અદાણી જૂથે આ આરોપો નકારી કાઢ્યા હતા  અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ અહેવાલ હોવા છતાં ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું હતું અને તેમના શેરની કિંમત 82% સુધી ઘટી હતી. તે અબજોપતિઓની યાદીમાં પણ પાછળ ધકેલાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">