AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારમાં Lower Circuit અને Upper Circuit શું હોય છે? જાણો તેનો નિયમો અને જરૂરિયાત

Share Market : મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બે સર્કિટ કહેવા શું માંગે છે? શું લોઅર સર્કિટ એટલે નુકસાન મોટું નુકસાન અને અપર સર્કિટનો અર્થ લાભ હોય છે? આજે અમે અહેવાલમાં રોકાણકારોના મનમાં ઉઠતા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Share Market : શેરબજારમાં Lower Circuit અને Upper Circuit શું હોય છે? જાણો તેનો નિયમો અને જરૂરિયાત
Lower Circuit and Upper Circuit
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 8:59 AM
Share

અદાણી ગ્રુપ સંદભૅ જ્યારથી hindenburg research report સામે આવ્યો છે ત્યારથી સતત અદાણીના શેર અપર અને લોઅર શકિતને લઇ સમાચારોમાં છવાયેલા રહે છે. જો રોકાણકાર નવા હોય તો મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બે સર્કિટ કહેવા શું માંગે છે? શું લોઅર સર્કિટ એટલે નુકસાન મોટું નુકસાન અને અપર સર્કિટનો અર્થ લાભ હોય છે? આજે અમે અહેવાલમાં રોકાણકારોના મનમાં ઉઠતા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્યરીતે સમજવાનો પ્રયાસ કરીએ તો મોટાભાગના શેરોની માંગ અને પુરવઠાને કારણે શેરનું મૂલ્ય સતત વધતું અને ઘટતું રહે છે. જ્યારે પણ શેરની માંગ વધે છે ત્યારે તેની કિંમત વધે છે અને જ્યારે લોકો શેર વેચવાનું શરૂ કરે છે ત્યારે શેરની કિંમત ઘટવા લાગે છે. કોઈપણ શેરબજારમાં 2 પ્રકારની સર્કિટ હોય છે. પ્રથમ અપર સર્કિટ છે અને બીજી લોઅર સર્કિટ છે. આ સર્કિટ કેટલી ટકાવારી પર ચાર્જ કરવામાં આવશે તે એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવે છે.

લોઅર સર્કિટ શું છે?

કેટલીકવાર કંપનીના શેર ઝડપથી ઘટે છે. આવી સ્થિતિમાં તે સ્ટોકમાં ઘણો ઘટાડો થાય ઓ રોકાણકાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે તેથી સર્કિટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અચાનક મોટી સંખ્યામાં પનીમાં શેર વેચવાનું શરૂ થાયછે તો તે શેરની કિંમત એક હદ સુધી ઘટી જાય ત્યારે તેનું ટ્રેડિંગ બંધ થઈ જાય છે. મૂલ્યમાં ઘટાડો કરવાની આ મર્યાદાને લોઅર સર્કિટ કહેવામાં આવે છે. લોઅર સર્કિટમાં 3 તબક્કાઓ છે. તે 10 ટકા, 15 ટકા અને 20 ટકા ઘટાડા સાથે નક્કી કરવામાં આવે છે.

અપર સર્કિટ શું છે?

કેટલીકવાર કંપનીમાં રોકાણકારોનો રસ વધે જોવા મળેછે. આવી સ્થિતિમાં તે કંપનીના શેરની કિંમત આકાશને આંબવા લાગે છે. આ કિસ્સામાં અપર સર્કિટની જોગવાઈ છે. શેરની કિંમત ચોક્કસ મર્યાદા સુધી પહોંચતાની સાથે જ તેમાં અપર સર્કિટ લગાવવામાં આવશે અને તેનું ટ્રેડિંગ બંધ થઈ જશે. અપર સર્કિટમાં પણ 3 તબક્કાઓ છે. તેના પર 10 ટકા, 15 ટકા અને 20 ટકા હોય છે.

શેરબજારમાં અપર સર્કિટ અને લોઅર સર્કિટની શરૂઆત જૂન 28, 2001થી કરવામાં આવી હતી. તે જ દિવસે માર્કેટ રેગ્યુલેટર સેબીએ સર્કિટ બ્રેકરની વ્યવસ્થા ઉભી કરી હતી. આ સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ 17 મે, 2004ના રોજ થયો હતો.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">