AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : ભારતીય શેરબજારમાં રોકાણનો FPI એ સર્જ્યો વિક્રમ, જાણો મે મહિનામાં કેટલા રૂપિયાનું કર્યું રોકાણ?

ભારતીય શેરબજાર(Share Market)ની સ્થિતિમાં સુધારો વિદેશી રોકાણકારોના વલણમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FII) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં FPI  દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે.

Share Market : ભારતીય શેરબજારમાં રોકાણનો FPI એ સર્જ્યો વિક્રમ, જાણો મે મહિનામાં કેટલા રૂપિયાનું કર્યું રોકાણ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 8:45 AM
Share

ભારતીય શેરબજાર(Share Market)ની સ્થિતિમાં સુધારો વિદેશી રોકાણકારોના વલણમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FII) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં FPI  દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે. બજારના સૌથી મોટા રોકાણકારોમાંના એક નિલેશ શાહે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે છેલ્લા 14 દિવસમાં FPIsએ ભારતીય બજારમાં 2.74 બિલિયન ડોલર અથવા લગભગ રૂ. 22,579 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. આ 14 દિવસ દરમિયાન નિફ્ટી50 લગભગ 3 ટકા વધ્યો છે. આ 14 દિવસોના 10 સેશનમાં,નિફ્ટી 50 વધારા સાથે બંધ થયો છે.

મ્યુચ્યુઅલ ફંડની મદદ

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના શાહે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોને આકર્ષવાનું મુખ્ય કારણ મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડના કારણે FPIsને લાગે છે કે ભારતીય બજારમાંથી બહાર નીકળવું સરળ છે પરંતુ પ્રવેશવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : New Parliament House Opening : ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે, જાણો ખાસિયત શું રહેશે

RBI ની ફોર્મ્યુલા કામ કરી રહી  છે

એપ્રિલમાં ભારતીય બજારમાં FPIsના વેચાણમાં બ્રેક લાગી છે અને તેઓ ખરીદીના માર્ગ પર પાછા ફર્યા છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી વ્યાજ દરોમાં સતત વધારો અટકાવી દીધો છે. દેશમાં છૂટક મોંઘવારી દરમાં થયેલો ઘટાડો સૂચવે છે કે આગામી સમયમાં પણ વ્યાજ દરો સ્થિર રહેશે. આનાથી FPIને પ્રોત્સાહન મળ્યું છે.

આ પરિબળો પણ સાથ આપી રહ્યા છે

આ સિવાય માર્ચ ક્વાર્ટરના પરિણામની સિઝન પણ સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી છે. માર્ચ ક્વાર્ટર માટે કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષાઓ સાથે સુસંગત છે અને અત્યાર સુધી કોઈ મોટો આંચકો આવ્યો નથી. યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરમાં વધારો નહીં કરવાનો સંકેત આપ્યો છે. આ તમામ કારણોને લીધે, FPIs ભારતમાં ખરીદદાર બન્યા છે અને તેના કારણે એપ્રિલ મહિનામાં નિફ્ટી લગભગ 5 ટકા સુધી ઉછળી શક્યો હતો.

આ પણ વાંચો : Krishca Strapping Solutions IPO: આ ઈસ્યુએ લિસ્ટિંગ સાથે રોકાણકારોના નાણાં ડબલ કર્યા, ₹54ની ઈશ્યુ પ્રાઇસ સામે ₹113 પર લિસ્ટ થયો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">