Senior Citizen Savings Scheme : આ સરકારી યોજના આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો યોજના વિશે વિગતવાર
SCSS એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી રોકાણ યોજના છે, તેથી તેને સૌથી સુરક્ષિત અને સૌથી વિશ્વસનીય ગણવામાં આવે છે. SCSS ખાતું ભારતમાં કોઈપણ અધિકૃત બેંક અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે.
સરકારે તાજેતરમાં પબ્લિક પ્રોવિડંડ ફંડ(PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana) અને સિનિયર સિટીઝન બચત યોજના (SCSS) સહિત અનેક નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરોની જાહેરાત કરી છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે આ નાની બચત યોજનાઓના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, આ નાની બચત યોજનાઓના વ્યાજ દરો બેંક ફિક્સ્ડ ડિપોઝીટની તુલનામાં ઘણા વધારે છે. આ જ કારણ છે કે આ નાની બચત યોજના પહેલાથી જ વ્યાજ દરોમાં ઘટાડા છતાં મોટાભાગના લોકોની પસંદગી બની રહે છે. આમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે જે ખાસ વરિષ્ઠ લોકો માટે બનાવવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમનો લાભ લઈ શકે છે. જેમણે તેમની સેવામાંથી VRS લીધું છે તેઓ પણ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો લાભ લઈ શકે છે. હાલમાં આ સ્કીમમાં રોકાણ પર 7.4% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 1,000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ ખાતામાં રકમ 1,000 રૂપિયાના ગુણાંકમાં જમા થાય છે. હાલમાં આ ખાતા પર 7.4 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક ક્વાર્ટરથી તેનો દર 7.4% પર ચાલી રહ્યો છે. આ દર 30 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. 31 માર્ચ, 30 જૂન, 30 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બરના રોજ દરોની સમીક્ષા કરવામાં આવે છે.
અરજી કોણ કરી શકે છે?
60 વર્ષથી વધુ વયના અને 55 વર્ષથી વધુ વયના નિવૃત્ત નાગરિક કર્મચારીઓ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. જો કે, શરત એ છે કે વરિષ્ઠ નાગરિક યોજનાનું ખાતું નિવૃત્તિનો લાભ મેળવ્યાના એક મહિનાની અંદર ખોલવાનું રહેશે. સંરક્ષણ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયેલા 50 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ACSS ખાતું ખોલાવી શકે છે. આ માટે પણ નિવૃત્તિના 1 મહિનાની અંદર ખાતું ખોલવાની શરત છે.
કર મુક્તિ લાભ
તમે આ ખાતામાં મર્યાદાથી વધુ પૈસા જમા કરાવી શકતા નથી. વધારાના પૈસા જમા કરાવવા પર તે પરત કરવામાં આવે છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે પરંતુ બાદમાં તેને 3 વર્ષ સુધી વધારી શકાય છે. આવકવેરા 1961ની કલમ 80C હેઠળ આ યોજના પર કર મુક્તિનો લાભ ઉપલબ્ધ છે. જો કે, જો રકમ 50,000 રૂપિયાથી વધુ હોય તો વ્યાજ કરપાત્ર છે. 1.5 લાખના રોકાણ પર 80C હેઠળ કર મુક્તિ મેળવી શકાય છે.
કોઈપણ વ્યક્તિ એક જ પેમેન્ટમાં ખાતામાં પૈસા જમા કરાવી શકે છે. તેથી એક ખાતાધારક આ યોજના હેઠળ એક કરતાં વધુ ખાતાઓનું સંચાલન કરી શકે છે. જો કે તમામ ખાતાઓમાં જમા કરાયેલી રકમ મહત્તમ મર્યાદાથી વધુ ન હોય એટલે કે તમામ ખાતાઓમાં 15 લાખ રૂપિયાથી વધુ જમા કરાવી શકાશે નહીં.
SCSS ના ફાયદા
SCSS એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી રોકાણ યોજના છે, તેથી તેને સૌથી સુરક્ષિત અને સૌથી વિશ્વસનીય ગણવામાં આવે છે. SCSS ખાતું ભારતમાં કોઈપણ અધિકૃત બેંક અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. એકાઉન્ટ ભારતમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે. આ સ્કીમ જમા રકમ પર ઉંચો વ્યાજ આપે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80C હેઠળ તમને 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળી શકે છે.