SBI ALERT : SBI એ તેના ગ્રાહકોને આપી સૂચના! બેન્કિંગ સેવા ચાલુ રાખવી હોય તો ફટાફટ પતાવીલો આ કામ, જાણો વિગતવાર

આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરી છે. જો તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ આપેલ સમયમર્યાદા સુધી લિંક કરવામાં આવ્યું નથી તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે.

SBI ALERT :  SBI એ તેના ગ્રાહકોને આપી સૂચના! બેન્કિંગ સેવા ચાલુ રાખવી હોય તો ફટાફટ પતાવીલો આ કામ, જાણો વિગતવાર
Aadhaar PAN Linking
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:55 AM

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને 31 માર્ચ, 2021 પહેલા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક (PAN Aadhaar Link)કરવા માટે એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરી છે. જો SBIના ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં આમ નહીં કરે, તો તેઓ બેંકિંગ સેવાઓ યથાવત રાખવામાં મુશ્કેલી પડશે.

તમને જણાવી દઈએ કે સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હાલમાં, PAN-Aadhaar લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. આવી સ્થિતિમાં SBIએ તેના ગ્રાહકોને PAN ને શક્ય તેટલી વહેલી તકે આધાર સાથે લિંક કરવાની અપીલ કરી છે.

છેલ્લી તારીખ 31 માર્ચ 2022 તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરી છે. જો તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ આપેલ સમયમર્યાદા સુધી લિંક કરવામાં આવ્યું નથી તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. અમને જણાવો કે તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

જો તમે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી તમારા આધાર અને PANને લિંક નથી કરાવતા તો તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જેમણે 31 માર્ચ 2022 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી તેમનું પાન કાર્ડ 1 એપ્રિલ 2022થી નિષ્ક્રિય થઈ જશે. એટલે કે તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ?

  • પ્રથમ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ
  • આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
  • આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો
  • હવે કેપ્ચા કોડ દાખલ કરો
  • હવે Link Aadhaar બટન પર ક્લિક કરો
  • તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.

આ પણ વાંચો : Aadhaar-Ration Link: આ રીતે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરો, જાણો ક્યાં ફાયદા મળશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">