AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મચાવશે ગદર

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ માત્ર જીવન વીમાનું જ વેચાણ નહીં કરે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ પણ વેચશે.

મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મચાવશે ગદર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 6:12 PM
Share

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ટૂંક સમયમાં ઈન્સ્યોરન્સનું (Insurance) વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેમણે જાહેરાત કરી કે ટૂંક સમયમાં તેમની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ (Jio Financial Services) વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. આ કંપનીને તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ડી-મર્જ કરવામાં આવી છે અને તેનું લિસ્ટિંગ શેરબજારમાં કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ માત્ર જીવન વીમાનું જ વેચાણ નહીં કરે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ પણ વેચશે.

LIC ને ટક્કર આપવા માટે કરી તૈયારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેની Jio ફાયનાન્સિયલ સર્વિસને દેશની ટોપ-5 નાણાકીય કંપનીઓમાં સામેલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કંપની ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC) તેમજ HDFC Life, ICICI પ્રુડેન્શિયલ વગેરે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે.

કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે

ભવિષ્યને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણીએ આ બિઝનેસને ડિજિટલી એડવાન્સ બનાવવાની વાત કરી છે. બજારમાં આગળ આવવા માટે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કંપની ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે, જે ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : RIL Share Price: AGM બાદ રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો થયો, 90 મિનિટમાં 27,700 કરોડ સ્વાહા

Jio AirFiber લોન્ચ થશે

AGMમાં મુકેશ અંબાણીએ Jio AirFiber સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જિયો એરફાઇબરની સેવા દેશમાં 19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થશે. તેની મદદથી લોકોને ઘરથી લઈને ઓફિસ સુધી તમામ જગ્યાએ હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળશે. આ એક વાયરલેસ સેવા હશે જે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે ઘરમાં કેબલ નાખવાની અને લાઈન નાખવાની ઝંઝટને દૂર કરશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
g clip-path="url(#clip0_868_265)">