Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધારી શકે છે, બ્રિટિશ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કર્યું અનુમાન

બાર્કલેઝના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની અસર વચ્ચે વૃદ્ધિમાં નવી ચિંતાઓને જોતાં રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં વૃદ્ધિને ટેકો આપે તેવી પોલિસી જાહેર કરી શકે છે.

RBI રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધારી શકે છે, બ્રિટિશ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કર્યું અનુમાન
Reserve Bank of India - RBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:10 AM

બ્રિટિશ બ્રોકરેજ હાઉસ બાર્કલેઝ(Barclays)નું અનુમાન છે કે રિઝર્વ બેંક (RBI) આગામી સપ્તાહની પોલિસી સમીક્ષામાં રિવર્સ રેપો રેટ(Reverse Repo Rate) માં વધારાની જાહેરાત કરી શકે છે. બ્રોકરેજનો અંદાજ છે કે વધારો 0.25 ટકા જેટલો થઇ શકે છે જે બે મુખ્ય દરો વચ્ચેના અંતરને પૂરો કરે છે. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર નિર્ધારિત છે. સેન્ટ્રલ બેંકે ડિસેમ્બરમાં પોલિસી સમીક્ષામાં સતત નવમી વખત દરો યથાવત રાખ્યા હતા જો કે ડિસેમ્બરની પોલિસી સમીક્ષા પહેલા જ રિવર્સ રેપો રેટમાં ફેરફારની વાત કરવામાં આવી હતી.

બાર્કલેઝ અંદાજ શું છે?

બાર્કલેઝના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની અસર વચ્ચે વૃદ્ધિમાં નવી ચિંતાઓને જોતાં રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં વૃદ્ધિને ટેકો આપે તેવી પોલિસી જાહેર કરી શકે છે. ખાસ કરીને જ્યારે મોંઘવારીની ગંભીર અસર ન થઈ રહી હોય ત્યારે આ નિર્ણય લેવાઈ શકે છે. એવો અંદાજ છે કે રિઝર્વ બેન્ક જરૂરિયાતના આધારે રિવર્સ રેપો રેટમાં 0.20 ટકાથી 0.25 ટકાનો વધારો કરી શકે છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે બજેટમાં સરકારી દેવામાં વધારાને જોતા રિઝર્વ બેંક પોલિસીઓને સામાન્ય સ્તરે લાવવાનું શરૂ કરી શકે છે. રિવર્સ રેપો રેટની મદદથી રિઝર્વ બેંક સિસ્ટમમાંથી વધારાની રોકડ દૂર કરે છે. રિવર્સ રેપો રેટમાં વધારો બેંકોને તેમની વધારાની રોકડ રિઝર્વ બેંકમાં જમા કરવા પ્રોત્સાહિત કરે છે.

નિષ્ણાતોનું અનુમાન છે?

જાન્યુઆરીમાં પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં દેશના ઘણા અગ્રણી નિષ્ણાતો માનતા હતા કે રિઝર્વ બેન્ક દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં. HDFC બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી અભિક બરુઆના જણાવ્યા અનુસાર આ ક્ષણે અર્થતંત્રને સામાન્ય સ્તર પર લાવવા માટે કેટલાક પગલાં લેવામાં આવશે. ઓછામાં ઓછા ફેબ્રુઆરીમાં આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં આ અપેક્ષિત નથી. તેમણે એમ પણ કહ્યું કે ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા માર્ચ ક્વાર્ટર માટે જીડીપી (GDP) વૃદ્ધિ દર 0.30 ટકાથી પ્રતિકૂળ અસર કરી શકે છે. બરુઆએ જણાવ્યું હતું કે, “સંક્રમણના વધતા કેસ અને તેના નિવારણ પરના નિયંત્રણો વૃદ્ધિ પર અસર કરશે. આ જોતાં ફેબ્રુઆરીમાં પોલિસી રેટમાં વધારો થવાની સંભાવના મર્યાદિત છે તેમ યુબીએસ સિક્યોરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “જો ઓમિક્રોન ના નવા સ્વરૂપને લઈ જોખમ રહે છે તો ટૂંકા ગાળામાં તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાને જોતાં અમને લાગે છે કે MPC ફેબ્રુઆરીની પોલિસી મીટિંગમાં ‘થોભો અને રાહ જુઓ’ અભિગમ અપનાવી શકે છે.” આનાથી એપ્રિલમાં નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિના સામાન્યકરણમાં વિલંબ થઈ શકે છે” ICRA રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

આ પણ વાંચો : ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે, 12.5 લાખ કરોડનું લક્ષ્ય શક્ય: CBDT ચેરમેન

આ પણ વાંચો : Air Indiaના પ્રવાસીઓનું રતન ટાટાએ કર્યુ સ્વાગત, ટ્વિટ કરી જાહેર કર્યો વિડીયો

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">