RBI રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધારી શકે છે, બ્રિટિશ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કર્યું અનુમાન

બાર્કલેઝના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની અસર વચ્ચે વૃદ્ધિમાં નવી ચિંતાઓને જોતાં રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં વૃદ્ધિને ટેકો આપે તેવી પોલિસી જાહેર કરી શકે છે.

RBI રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધારી શકે છે, બ્રિટિશ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કર્યું અનુમાન
Reserve Bank of India - RBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:10 AM

બ્રિટિશ બ્રોકરેજ હાઉસ બાર્કલેઝ(Barclays)નું અનુમાન છે કે રિઝર્વ બેંક (RBI) આગામી સપ્તાહની પોલિસી સમીક્ષામાં રિવર્સ રેપો રેટ(Reverse Repo Rate) માં વધારાની જાહેરાત કરી શકે છે. બ્રોકરેજનો અંદાજ છે કે વધારો 0.25 ટકા જેટલો થઇ શકે છે જે બે મુખ્ય દરો વચ્ચેના અંતરને પૂરો કરે છે. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર નિર્ધારિત છે. સેન્ટ્રલ બેંકે ડિસેમ્બરમાં પોલિસી સમીક્ષામાં સતત નવમી વખત દરો યથાવત રાખ્યા હતા જો કે ડિસેમ્બરની પોલિસી સમીક્ષા પહેલા જ રિવર્સ રેપો રેટમાં ફેરફારની વાત કરવામાં આવી હતી.

બાર્કલેઝ અંદાજ શું છે?

બાર્કલેઝના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની અસર વચ્ચે વૃદ્ધિમાં નવી ચિંતાઓને જોતાં રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં વૃદ્ધિને ટેકો આપે તેવી પોલિસી જાહેર કરી શકે છે. ખાસ કરીને જ્યારે મોંઘવારીની ગંભીર અસર ન થઈ રહી હોય ત્યારે આ નિર્ણય લેવાઈ શકે છે. એવો અંદાજ છે કે રિઝર્વ બેન્ક જરૂરિયાતના આધારે રિવર્સ રેપો રેટમાં 0.20 ટકાથી 0.25 ટકાનો વધારો કરી શકે છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે બજેટમાં સરકારી દેવામાં વધારાને જોતા રિઝર્વ બેંક પોલિસીઓને સામાન્ય સ્તરે લાવવાનું શરૂ કરી શકે છે. રિવર્સ રેપો રેટની મદદથી રિઝર્વ બેંક સિસ્ટમમાંથી વધારાની રોકડ દૂર કરે છે. રિવર્સ રેપો રેટમાં વધારો બેંકોને તેમની વધારાની રોકડ રિઝર્વ બેંકમાં જમા કરવા પ્રોત્સાહિત કરે છે.

નિષ્ણાતોનું અનુમાન છે?

જાન્યુઆરીમાં પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં દેશના ઘણા અગ્રણી નિષ્ણાતો માનતા હતા કે રિઝર્વ બેન્ક દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં. HDFC બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી અભિક બરુઆના જણાવ્યા અનુસાર આ ક્ષણે અર્થતંત્રને સામાન્ય સ્તર પર લાવવા માટે કેટલાક પગલાં લેવામાં આવશે. ઓછામાં ઓછા ફેબ્રુઆરીમાં આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં આ અપેક્ષિત નથી. તેમણે એમ પણ કહ્યું કે ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા માર્ચ ક્વાર્ટર માટે જીડીપી (GDP) વૃદ્ધિ દર 0.30 ટકાથી પ્રતિકૂળ અસર કરી શકે છે. બરુઆએ જણાવ્યું હતું કે, “સંક્રમણના વધતા કેસ અને તેના નિવારણ પરના નિયંત્રણો વૃદ્ધિ પર અસર કરશે. આ જોતાં ફેબ્રુઆરીમાં પોલિસી રેટમાં વધારો થવાની સંભાવના મર્યાદિત છે તેમ યુબીએસ સિક્યોરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “જો ઓમિક્રોન ના નવા સ્વરૂપને લઈ જોખમ રહે છે તો ટૂંકા ગાળામાં તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાને જોતાં અમને લાગે છે કે MPC ફેબ્રુઆરીની પોલિસી મીટિંગમાં ‘થોભો અને રાહ જુઓ’ અભિગમ અપનાવી શકે છે.” આનાથી એપ્રિલમાં નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિના સામાન્યકરણમાં વિલંબ થઈ શકે છે” ICRA રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે, 12.5 લાખ કરોડનું લક્ષ્ય શક્ય: CBDT ચેરમેન

આ પણ વાંચો : Air Indiaના પ્રવાસીઓનું રતન ટાટાએ કર્યુ સ્વાગત, ટ્વિટ કરી જાહેર કર્યો વિડીયો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">