Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Indiaના પ્રવાસીઓનું રતન ટાટાએ કર્યુ સ્વાગત, ટ્વિટ કરી જાહેર કર્યો વિડીયો

રતન તાતા (Ratan Tata) પોતે ઍરઇન્ડિયાના પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે. એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાનો એક વેલકમ મેસેજ જાહેર કર્યો છે.

Air Indiaના પ્રવાસીઓનું રતન ટાટાએ કર્યુ સ્વાગત, ટ્વિટ કરી જાહેર કર્યો વિડીયો
Ratan Tata welcomes Air India passengers with this message after formal takeover
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:17 PM

એર ઇન્ડિયા (Air india) હવે ટાટા ગ્રુપ (Tata Group)નો એક ભાગ છે,ત્યારે એર ઇન્ડિયાના પ્રવાસીઓને અનેક ફેરફાર મળવા લાગ્યા છે. હવે રતન તાતા (Ratan Tata) પોતે ઍર ઇન્ડિયાના પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે.એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાનો એક વેલકમ મેસેજ જાહેર કર્યો છે.

એર ઇન્ડિયાએ ટ્વિટ કરી શેર કર્યો વિડીયો

ઍર ઇન્ડિયાએ બુધવારે ટ્વિટર પર રતન ટાટાના મેસેજવાળી વિડીયો ક્લિપ શૅર કરી છે. આ ક્લિપમાં રતન ટાટાનો અવાજ સંભળાઇ રહ્યો છે. ટાટા સન્સના Chaitman Emeritus મેસેજમાં પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે. તે લોકોને વિશ્વાસ આપતા કહી રહ્યા છે કે ઍર ઇન્ડિયાને મળીને સૌથી ગમતી ઍરલાઇન બનાવવામાં આવશે. ક્લિપમાં રતન ટાટાના અવાજમાં કહેવામાં આવી રહ્યું છે કે, ટાટા ગ્રુપ ઍરઇન્ડિયાના નવા ગ્રાહકોનું સ્વાગત કરે છે. મુસાફરોની સુવિધા અને સેવા મામલે એર ઈન્ડિયાને મનપસંદ એરલાઈન બનાવવા માટે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છે. મહત્વનું છે કે ગયા અઠવાડિયે ટાટાએ એર ઈન્ડિયાની માલિકી પ્રાપ્ત કરી લીધી છે અને નુકસાનમાં ચાલતી એરલાઈનને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાનું વચન આપ્યું.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાના રૂ18,000 કરોડમાં ઉગારી

આઠ ઓક્ટોબર, 2021ના દિવસે દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાના અધિગ્રહણની 18,000 કરોડ રૂપિયામાં બોલી જીતી લીધી હતી. આ રીતે ઍરઇન્ડિયા 69 વર્ષ પછી ફરી પોતાના જૂના માલિક પાસે આવી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલી નીલામીમાં ટાટા સમૂહે 18 હજાર કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાડીને ઍરઇન્ડિયા પોતાને નામે કરી. હેન્ડઓવરની પ્રક્રિયા પહેલા ઔપચારિકતાઓ પૂરી કરવામાં થોડોક સમય લાગ્યો.

શું હશે નવા ફેરફાર

ઍર ઇન્ડિયાના હેન્ડઓવરના પહેલા દિવસથી જ સર્વિસેસમાં ફેરફાર થવા લાગ્યા. ટાટા ગ્રુપે વારંવાર કહ્યું છે કે તેમનું સૌથી પહેલું ધ્યાન ઍર ઇન્ડિયાના ઑન ટાઇમ પર્ફોર્મન્સને વધારે સગવળ ભર્યુ બનાવવા પર રહેશે. આ સિવાય ગ્રુપ પ્રવાસીઓને મળનારી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા પર રહેશે. ટાટા સમૂહે પહેલા દિવસે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે ચાર ફ્લાઇટ પર Enhanced Meal Service રજૂ કરવાની સાથે આની શરૂઆત થઈ. કંપની ટુંક જ સમયમાં બધી ફ્લાઇટમાં આ સર્વિસ શરૂ કરવાની છે.

આ પણ વાંચો :ઓગસ્ટમાં લોન્ચ થશે ‘Chandrayaan 3’ 2022 માટે ISROએ બનાવ્યો મોટો પ્લાન

આ પણ વાંચો :JAMNAGAR : ઓનલાઈન શિક્ષણમાં માત્ર 20 ટકા વિદ્યાર્થીઓની હાજરી, જાણો શું છે કારણ ? 

g clip-path="url(#clip0_868_265)">