AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monetary Policy: આજે નહિ મળે MPC ની બેઠક, જાણો કેમ RBI એ બેઠક ટાળી

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું છે.

Monetary Policy: આજે નહિ મળે MPC ની બેઠક, જાણો કેમ  RBI એ બેઠક ટાળી
બેંક અંગેની ફરિયાદ માટે RBI એ CMS સિસ્ટમ શરૂ કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:01 AM
Share

RBI postpones MPC meet to Feb 8 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા 7 ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy Committee – MPC) ની બેઠકના શિડ્યુલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈની એમપીસી બેઠક આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી જે હવે આ બેઠક 8મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું છે.”

10 ફેબ્રુઆરીના રોજ નીતિગત પગલાંની જાહેરાત કરવામાં આવશે

આગામી નાણાકીય નીતિ 10 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ પહેલા મંગળવારથી MPCમાં 3 દિવસ સુધી ચર્ચાઓ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે RBI MPC વતી દર બે મહિને એક બેઠક યોજવામાં આવે છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે RBI રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરી શકે છે

RBI તેના આગામી બજેટ અને 2022-23 પછીના તેના આગામી દ્વિમાસિક MPCમાં મોંઘવારીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય નીતિગત દરોના મોરચે યથાવત્ સ્થિતિ જાળવી શકે છે. જો કે નિષ્ણાતો માને છે કે આરબીઆઈની MPC તેના નીતિ વલણને ‘ઉદાર’થી ‘ન્યુટ્રલ’માં બદલી શકે છે અને લિક્વિડિટી નોર્મલાઇઝેશન પ્રક્રિયાના ભાગરૂપે રિવર્સ રેપો રેટ(Reverse Repo Rate)માં ફેરફાર કરી શકે છે.

રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ફેરફાર થઇ શકે છે

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે બજેટમાં આપવામાં આવેલી ખાતરીઓ અને ક્રૂડ ઓઈલના ભાવને કારણે મોંઘવારી વધવાના ડરને જોતા અમે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકા (25 BP)નો વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. RBI નોર્મલાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં . આવતા વર્ષે તેમાં 0.50 ટકાનો વધારો થઈ શકે છે. ”

આ પણ વાંચો : Lata Mangeshkar Passes Away Highlights: ભારત રત્ન લતા મંગેશકર પંચ મહાભૂતમાં વિલીન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">