Monetary Policy: આજે નહિ મળે MPC ની બેઠક, જાણો કેમ RBI એ બેઠક ટાળી

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું છે.

Monetary Policy: આજે નહિ મળે MPC ની બેઠક, જાણો કેમ  RBI એ બેઠક ટાળી
બેંક અંગેની ફરિયાદ માટે RBI એ CMS સિસ્ટમ શરૂ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:01 AM

RBI postpones MPC meet to Feb 8 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા 7 ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy Committee – MPC) ની બેઠકના શિડ્યુલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈની એમપીસી બેઠક આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી જે હવે આ બેઠક 8મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું છે.”

10 ફેબ્રુઆરીના રોજ નીતિગત પગલાંની જાહેરાત કરવામાં આવશે

આગામી નાણાકીય નીતિ 10 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ પહેલા મંગળવારથી MPCમાં 3 દિવસ સુધી ચર્ચાઓ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે RBI MPC વતી દર બે મહિને એક બેઠક યોજવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નિષ્ણાતોનો અંદાજ છે કે RBI રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરી શકે છે

RBI તેના આગામી બજેટ અને 2022-23 પછીના તેના આગામી દ્વિમાસિક MPCમાં મોંઘવારીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય નીતિગત દરોના મોરચે યથાવત્ સ્થિતિ જાળવી શકે છે. જો કે નિષ્ણાતો માને છે કે આરબીઆઈની MPC તેના નીતિ વલણને ‘ઉદાર’થી ‘ન્યુટ્રલ’માં બદલી શકે છે અને લિક્વિડિટી નોર્મલાઇઝેશન પ્રક્રિયાના ભાગરૂપે રિવર્સ રેપો રેટ(Reverse Repo Rate)માં ફેરફાર કરી શકે છે.

રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ફેરફાર થઇ શકે છે

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે બજેટમાં આપવામાં આવેલી ખાતરીઓ અને ક્રૂડ ઓઈલના ભાવને કારણે મોંઘવારી વધવાના ડરને જોતા અમે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકા (25 BP)નો વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. RBI નોર્મલાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં . આવતા વર્ષે તેમાં 0.50 ટકાનો વધારો થઈ શકે છે. ”

આ પણ વાંચો : Lata Mangeshkar Passes Away Highlights: ભારત રત્ન લતા મંગેશકર પંચ મહાભૂતમાં વિલીન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">