AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monetary Policy: આજે નહિ મળે MPC ની બેઠક, જાણો કેમ RBI એ બેઠક ટાળી

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું છે.

Monetary Policy: આજે નહિ મળે MPC ની બેઠક, જાણો કેમ  RBI એ બેઠક ટાળી
બેંક અંગેની ફરિયાદ માટે RBI એ CMS સિસ્ટમ શરૂ કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:01 AM
Share

RBI postpones MPC meet to Feb 8 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા 7 ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy Committee – MPC) ની બેઠકના શિડ્યુલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈની એમપીસી બેઠક આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી જે હવે આ બેઠક 8મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકર(Bharat Ratna legendary singer Lata Mangeshkar)ના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ(MPC Rescheduled ) 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું છે.”

10 ફેબ્રુઆરીના રોજ નીતિગત પગલાંની જાહેરાત કરવામાં આવશે

આગામી નાણાકીય નીતિ 10 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ પહેલા મંગળવારથી MPCમાં 3 દિવસ સુધી ચર્ચાઓ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે RBI MPC વતી દર બે મહિને એક બેઠક યોજવામાં આવે છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે RBI રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરી શકે છે

RBI તેના આગામી બજેટ અને 2022-23 પછીના તેના આગામી દ્વિમાસિક MPCમાં મોંઘવારીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય નીતિગત દરોના મોરચે યથાવત્ સ્થિતિ જાળવી શકે છે. જો કે નિષ્ણાતો માને છે કે આરબીઆઈની MPC તેના નીતિ વલણને ‘ઉદાર’થી ‘ન્યુટ્રલ’માં બદલી શકે છે અને લિક્વિડિટી નોર્મલાઇઝેશન પ્રક્રિયાના ભાગરૂપે રિવર્સ રેપો રેટ(Reverse Repo Rate)માં ફેરફાર કરી શકે છે.

રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ફેરફાર થઇ શકે છે

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે બજેટમાં આપવામાં આવેલી ખાતરીઓ અને ક્રૂડ ઓઈલના ભાવને કારણે મોંઘવારી વધવાના ડરને જોતા અમે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકા (25 BP)નો વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. RBI નોર્મલાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં . આવતા વર્ષે તેમાં 0.50 ટકાનો વધારો થઈ શકે છે. ”

આ પણ વાંચો : Lata Mangeshkar Passes Away Highlights: ભારત રત્ન લતા મંગેશકર પંચ મહાભૂતમાં વિલીન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">