AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો નફો વધ્યો, NPAમાં ઘટાડો મુખ્ય કારણ

જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોના (public sector banks) નફામાં વધારો થયો છે. એક વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા ક્વાર્ટરમાં બેંકોના ચોપડા પર તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો નફો વધ્યો, NPAમાં ઘટાડો મુખ્ય કારણ
Bank (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 10:49 PM
Share

બેડ લોનમાં સતત ઘટાડાને કારણે જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોના (Public Sector bank) નફામાં વધારો થયો છે. એક વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે આવનારા ક્વાર્ટરમાં બેંકોના ચોપડા પર તેની સકારાત્મક અસર પડી શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ત્રિમાસિક નાણાકીય ડેટાના વિશ્લેષણ મુજબ, જૂન ક્વાર્ટરમાં બેંક ઓફ મહારાષ્ટ્ર (બીઓએમ) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની કુલ એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ) અને ચોખ્ખી એનપીએ સૌથી ઓછી રહી છે.

SBI અને PNBનો નફો ઘટ્યો

એકંદરે, તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ જૂન ક્વાર્ટરમાં આશરે રૂ. 15,306 કરોડનો નફો નોંધાવ્યો છે, જેમાં 9.2 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન SBI અને PNBના નફામાં ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન, સરકારી બેંકોએ કુલ રૂ. 14,013 કરોડનો નફો નોંધાવ્યો હતો.

વિશ્લેષણ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં BoM અને SBIની કુલ NPA તેમના કુલ દેવું સામે અનુક્રમે 3.74 ટકા અને 3.91 ટકા હતી. જૂનના અંતે આ બેંકોની નેટ એનપીએ ઘટીને અનુક્રમે 0.88 ટકા અને એક ટકા થઈ ગઈ છે. અન્ય જાહેર ક્ષેત્રની બેંકોની ગ્રોસ એનપીએ 6.26 ટકાથી 14.90 ટકાની રેન્જમાં છે.

NPA કેટલી છે?

જૂન ક્વાર્ટરમાં બેન્ક ઓફ બરોડાની ગ્રોસ એનપીએ 6.26 ટકા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની 14.90 ટકા હતી. આ બંને બેંકો હજુ પણ ભારતીય રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ છે. મોટાભાગની બેંકોની નેટ એનપીએ તેમની કુલ લોન અથવા એડવાન્સિસના ત્રણ ટકાથી ઓછી હતી. માત્ર ત્રણ બેંકો – યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (3.31 ટકા), સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (3.93 ટકા) અને પંજાબ નેશનલ બેંક (4.28 ટકા) પાસે ત્રણ ટકાથી વધુ નેટ એનપીએ છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા વધીને 392 કરોડ રૂપિયા થઈ ગયો છે. બેડ લોનમાં ઘટાડાથી બેંકનો નફો વધ્યો છે. બેંકે શનિવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે એક વર્ષ પહેલાના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો 327 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક ઘટીને રૂ. 5,028 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,607 કરોડ હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">