AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે

મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી હતા. તેણે નીરવ મોદી સાથે મળીને PNB સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વર્ષ 2018માં સામે આવી હતી. આ પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને વિદેશ ભાગી ગયા હતા.

ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 6:24 AM
Share

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી(Mehul Choksi) ફરી એકવાર ખબરોમાં છે. માર્કેટ રેગ્યુલેટર SEBI એ ગીતાંજલિ જેમ્સ લિમિટેડ(Gitanjali Gems Limited)ના શેરમાં છેતરપિંડીના કેસમાં ગુરૂવારે ભાગેડુ મેહુલને નોટિસ મોકલી છે જેમાં 5.35 કરોડ રૂપિયાની ચુકવણી કરવા સૂચના આપવામાં આવી છે. સેબીએ નોટિસમાં લખ્યું છે કે જો મેહુલ ચોક્સી 15 દિવસમાં આ રકમ જમા નહીં કરાવે તો ધરપકડની સાથે પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ પણ ટાંચમાં લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ બીજીવાર કાર્યવાહીકરવામાં આવી છે. આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના મામલામાં સેબીએ મેહુલ ચોક્સીને નોટિસ મોકલી હતી.

કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

સેબીએ મેહુલ ચોક્સીને નવી નોટિસ મોકલી છે. જેમાં ભાગેડુ વેપારીને રૂ. 5.35 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 15 દિવસમાં જમા કરવા જણાવ્યું છે. આ રકમમાં મૂળ રકમની સાથે વ્યાજનો પણ સમાવેશ થાય છે. જો ચોક્સી સમયસર ચૂકવણી નહીં કરે તો તેની સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. સેબીના જણાવ્યા અનુસાર પૈસા જમા ન કરાવવાના કિસ્સામાં જંગમ અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેની હરાજી કરીને રકમ વસૂલ કરવામાં આવશે. તે જ સમયે, મેહુલ ચોકસીના બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવશે અને ધરપકડ પણ થઈ શકે છે.

અગાઉ પણ પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સને સેબીએ ઓક્ટોબર 2022માં ચોક્સી પર પાંચ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ચોક્સીને શેરબજારમાંથી 10 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તે પહેલા સેબીએ મે 2022માં ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના સમાન કેસમાં ચોક્સીને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી.

PNB  કૌભાંડના મુખ્ય આરોપી

મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી હતા. તેણે નીરવ મોદી સાથે મળીને PNB સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વર્ષ 2018માં સામે આવી હતી. આ પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને વિદેશ ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ ચોક્સી એન્ટીગુઆ અને બરબુડામાં હોવાનું કહેવાય છે તો બીજી તરફ નીરવ મોદી બ્રિટિશ જેલમાં દિવસો વિતાવી રહ્યો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">