AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે

મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી હતા. તેણે નીરવ મોદી સાથે મળીને PNB સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વર્ષ 2018માં સામે આવી હતી. આ પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને વિદેશ ભાગી ગયા હતા.

ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 6:24 AM
Share

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી(Mehul Choksi) ફરી એકવાર ખબરોમાં છે. માર્કેટ રેગ્યુલેટર SEBI એ ગીતાંજલિ જેમ્સ લિમિટેડ(Gitanjali Gems Limited)ના શેરમાં છેતરપિંડીના કેસમાં ગુરૂવારે ભાગેડુ મેહુલને નોટિસ મોકલી છે જેમાં 5.35 કરોડ રૂપિયાની ચુકવણી કરવા સૂચના આપવામાં આવી છે. સેબીએ નોટિસમાં લખ્યું છે કે જો મેહુલ ચોક્સી 15 દિવસમાં આ રકમ જમા નહીં કરાવે તો ધરપકડની સાથે પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ પણ ટાંચમાં લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ બીજીવાર કાર્યવાહીકરવામાં આવી છે. આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના મામલામાં સેબીએ મેહુલ ચોક્સીને નોટિસ મોકલી હતી.

કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

સેબીએ મેહુલ ચોક્સીને નવી નોટિસ મોકલી છે. જેમાં ભાગેડુ વેપારીને રૂ. 5.35 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 15 દિવસમાં જમા કરવા જણાવ્યું છે. આ રકમમાં મૂળ રકમની સાથે વ્યાજનો પણ સમાવેશ થાય છે. જો ચોક્સી સમયસર ચૂકવણી નહીં કરે તો તેની સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. સેબીના જણાવ્યા અનુસાર પૈસા જમા ન કરાવવાના કિસ્સામાં જંગમ અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેની હરાજી કરીને રકમ વસૂલ કરવામાં આવશે. તે જ સમયે, મેહુલ ચોકસીના બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવશે અને ધરપકડ પણ થઈ શકે છે.

અગાઉ પણ પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સને સેબીએ ઓક્ટોબર 2022માં ચોક્સી પર પાંચ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ચોક્સીને શેરબજારમાંથી 10 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તે પહેલા સેબીએ મે 2022માં ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના સમાન કેસમાં ચોક્સીને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી.

PNB  કૌભાંડના મુખ્ય આરોપી

મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી હતા. તેણે નીરવ મોદી સાથે મળીને PNB સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વર્ષ 2018માં સામે આવી હતી. આ પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને વિદેશ ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ ચોક્સી એન્ટીગુઆ અને બરબુડામાં હોવાનું કહેવાય છે તો બીજી તરફ નીરવ મોદી બ્રિટિશ જેલમાં દિવસો વિતાવી રહ્યો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">