AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડું મેહુલ ચોક્સીને ડોમિનિકામાં મળી મોટી રાહત, જાણો શું છે સમગ્ર કેસ ?

13 હજાર 500 કરોડના PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકામાં રાહત મળી છે. અહીંના સ્થાનિક પ્રશાસને મેહુલ ચોક્સી સામેનો કેસ પાછો ખેંચી લીધો છે.

ભાગેડું મેહુલ ચોક્સીને ડોમિનિકામાં મળી મોટી રાહત, જાણો શું છે સમગ્ર કેસ ?
મેહુલ ચોકસી (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 1:18 PM
Share

ભાગેડુ મેહુલ ચોકસીને (Mehul Choksi) શનિવારે ડોમિનિકામાંથી(Dominica) રાહત મળી છે. જ્યાં પોલીસ દ્વારા તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકાયો હતો. ડોમિનિકામાં મેહુલ ચોકસી સામે ગેરકાયદેસર પ્રવેશના (Illegal entry)કેસમાં કાનૂની કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મેહલુ ચોક્સી એ વાતથી ખુશ છે કે ડોમિનિકન સરકારે મે 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેની સામેના તમામ આરોપો રદ કર્યા છે.

13 હજાર 500 કરોડના PNB કૌભાંડના(SCAM) આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકામાં રાહત મળી છે. અહીંના સ્થાનિક પ્રશાસને મેહુલ ચોક્સી સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. આ મામલો રાષ્ટ્ર દ્વિપમાં (island ) તેના ગેરકાયદેસર પ્રવેશને (Illegal entry) લગતો હતો, જેનો મેહુલ ચોક્સીએ વિરોધ કરતા કહ્યું હતું કે તેનું એન્ટિગુઆ અને બાર્બુડામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો.

મે 2021માં મેહુલ ચોક્સી ડોમિનિકામાંથી ઝડપાયો હતો. આ પછી ચોકસીના પ્રત્યાર્પણને લઈને એવી ચર્ચા હતી કે ચોક્સીને ત્યાંથી સીધો ભારત લાવી શકાશે, પરંતુ એવું થયું નહીં. ડોમિનિકાની સરકારે કહ્યું હતું કે મેહુલ ચોકસીને એન્ટિગુઆને સોંપવામાં આવશે. ચોક્સી પાસે એન્ટિગુઆની નાગરિકતા છે.

ડોમિનિકાના એક અધિકારીઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર પ્રવેશ માટે ચોક્સી સામે ચાલી રહેલી કાર્યવાહી હવે બંધ કરાઇ છે. 13,500 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચોક્સીને આરોપી જાહેર કરાયો છે. ચોક્સી 23 મેના રોજ એન્ટિગુઆથી ગુમ થયો હતો. જે પાછળથી ડોમિનિકામાં જોવા મળ્યો હતો.

ડોમિનિકા હાઈકોર્ટ દ્વારા મેડીકલ આધાર પર જામીન મળ્યા બાદ ચોક્સી ગયા વર્ષે જુલાઈમાં ફરીથી એન્ટિગુઆ ગયો હતો. ચોક્સીએ ગેરકાયદેસર પ્રવેશના દાવા સામે તેનો કેસ લડ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો કે તેનું પોલીસકર્મીઓ દ્વારા 23 મેના રોજ એન્ટીગુઆના જોલી હાર્બરમાંથી અપહરણ કરાયું હતું અને તેને બોટ દ્વારા ડોમિનિકા લઇ જવામાં આવ્યો હતો.

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">