AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNBના ગ્રાહકો સાવચેત રહેજો, હવે ATMમાંથી પૈસા નહીં નીકળે તો ચાર્જ ચૂકવવો પડશે, જાણો શું છે નવો નિયમ

અહીં એ જાણવું જરૂરી છે કે ATMનો ઉપયોગ કરતી વખતે તમારો વ્યવહાર નિષ્ફળ જાય છે. તો તે સમયે PNB ગ્રાહક તેમની ફરિયાદો નોંધવા માટે ટોલ-ફ્રી નંબર 1800180222 અને 18001032222 દ્વારા કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકે છે તેમજ બેંકદ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ  છે

PNBના ગ્રાહકો સાવચેત રહેજો, હવે ATMમાંથી પૈસા નહીં નીકળે તો ચાર્જ ચૂકવવો પડશે, જાણો શું છે નવો નિયમ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 7:20 AM
Share

જો તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. આજથી જો તમે બેલેન્સ વગર એટીએમનો ઉપયોગ કરો છો અથવા તમારા એટીએમમાંથી પૈસા નીકળતા નથી તો તમારે તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બેંકે પોતે તેની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપી છે. આની સાથે જ બેંક પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા પણ આ જાણકારી આપી રહી છે.આપને જણાવી દઈએ કે નિયમો અનુસાર તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે. જો તમે આમ ન કરો તો બેંક તમારા ખાતામાંથી પેનલ્ટી ચાર્જ કાપી લે છે.

કેટલો ચાર્જ લેવામાં આવશે

પંજાબ નેશનલ બેંક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર GSTની સાથે 10 રૂપિયા ચાર્જ કરશે. એટલે કે, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવામાં આવે અને તમે ATMમાં બેલેન્સ ચેક કરવા માટે કાર્ડ દાખલ કરો છો, તો તમારે GST સાથે 10 રૂપિયાનો પેનલ્ટી ચાર્જ ચૂકવવો પડશે. બીજી તરફ, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ છે પરંતુ કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે તમે પૈસા ઉપાડી શક્યા નથી અને વ્યવહાર નિષ્ફળ ગયો છે, તો તમે દંડની ફરિયાદ કરી શકો છો.

જો તમે બેંકમાં નિષ્ફળ ટ્રાન્ઝેક્શન વિશે ફરિયાદ કરો છો, તો ફરિયાદ મળ્યાના 3 થી 7 દિવસમાં બેંક તમારા પૈસા પરત કરશે. બીજી તરફ, જો તમારા પૈસા 30 દિવસમાં પાછા નહીં આવે, તો બેંક તમને દરરોજ 100 રૂપિયા વળતર આપશે.

આ પણ વાંચો: Bank Holidays May 2023 : ચાલુ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે, કામના પ્લાનિંગ પહેલા યાદી તપાસી લો

આ હેલ્પલાઇન નંબરો પર ફરિયાદ કરી શકાશે

અહીં એ જાણવું જરૂરી છે કે ATMનો ઉપયોગ કરતી વખતે તમારો વ્યવહાર નિષ્ફળ જાય છે. તો તે સમયે PNB ગ્રાહક તેમની ફરિયાદો નોંધવા માટે ટોલ-ફ્રી નંબર 1800180222 અને 18001032222 દ્વારા કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકે છે તેમજ બેંકદ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ  છે જેમાં ગ્રાહકો PNBની વેબસાઇટની મુલાકાત લઈને ભાગ લઈ શકે છે. તેઓ બેંકની સેવાઓ સાથેના તેમના અનુભવ વિશે અને તેઓ બેંકથી સંતુષ્ટ છે કે નહીં તે વિશે પોતાના પ્રતિસાદ અને અભિપ્રાય આપી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">