AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીએ G20 દેશોને કર્યું આહ્વાન, ‘ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર કેર ડે’ ની કરવામાં આવે ઉજવણી

વિશ્વભરના ઉદ્યોગપતિઓએ તેમના ગ્રાહકોની સંભાળ પર ધ્યાન આપવું જોઈએ. માત્ર ગ્રાહકોના અધિકારો વિશે જ નહીં, તેમની કાળજી લેવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેથી જ તેમણે પ્રસ્તાવ મૂક્યો કે એક દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ' તરીકે ઉજવવો જોઈએ.

PM નરેન્દ્ર મોદીએ G20 દેશોને કર્યું આહ્વાન, 'ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર કેર ડે' ની કરવામાં આવે ઉજવણી
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 7:18 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હંમેશા ભારતના બિઝનેસ અને સોફ્ટ પાવર બંનેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતા રહ્યા છે. આજે વિશ્વભરમાં ઉજવવામાં આવતા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ કે ‘આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ’ બંનેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મહત્વની રહી છે. હવે પીએમ મોદીએ વિશ્વની સામે ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ’ (International Consumer Care Day) ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

પીએમ મોદીએ વિશ્વના ગ્રાહકોના હિતની વાત કરી

ભારત આ વર્ષે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. તેની સમિટ આવતા મહિનાની શરૂઆતમાં યોજાવાની છે. સાથે જ તે દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વેપાર સમુદાયના લોકોની સામાન્ય પરિષદ ‘B20 સમિટ ઇન્ડિયા 2023’ને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિશ્વના ગ્રાહકોના હિતની વાત કરી હતી.

‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ’ તરીકે ઉજવવો જોઈએ

પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વભરના ઉદ્યોગપતિઓએ પણ તેમના ગ્રાહકોની સંભાળ પર ધ્યાન આપવું જોઈએ. માત્ર ગ્રાહકોના અધિકારો વિશે જ નહીં, તેમની કાળજી લેવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેથી જ તેમણે પ્રસ્તાવ મૂક્યો કે એક દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસ’ તરીકે ઉજવવો જોઈએ.

સૌથી વધુ મધ્યમ વર્ગની વસ્તી હશે

આ સાથે પીએમ મોદીએ G-20 દેશોના બિઝનેસ પ્રતિનિધિઓની સામે ભારત અને તેમની સરકારની ઉપલબ્ધિઓ પણ જણાવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 13.5 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે. આ રીતે ભારતમાં એક નવો મધ્યમ વર્ગ તૈયાર થઈ રહ્યો છે. ભારતમાં આવનારા વર્ષોમાં સૌથી વધુ મધ્યમ વર્ગની વસ્તી હશે.

આ પણ વાંચો : Rice Export: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાંથી હવે બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ!

ભારતનું ધ્યાન છે ગ્રીન એનર્જી પર

પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે, ભારતનું સંપૂર્ણ ધ્યાન ગ્રીન એનર્જી પર છે. વિશ્વ પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખીને ભારતે ગ્રીન ક્રેડિટ સિસ્ટમ શરૂ કરી છે. દરેક દેશે તેને અપનાવવો જોઈએ. આપણે એક ઇકોસિસ્ટમ બનાવવાની જરૂર છે જે આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">