AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Export: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાંથી હવે બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ!

પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની સંભવિત નિકાસને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને વિગતવાર માહિતી આપી હતી.

Rice Export: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાંથી હવે બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ!
Rice Export
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 4:55 PM
Share

વિશ્વમાં ચોખાની નિકાસ (Rice Export) પર 40 ટકા અંકુશ ધરાવતા ભારતનો નિર્ણય અમેરિકાથી (America) લઈને આરબ દેશોમાં હાહાકાર મચાવી શકે છે. ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે બાસમતી ચોખાની નિકાસને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ વિશ્વમાં ફરી એકવાર ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે, ભારતે કેટલાક ખાસ બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

નિકાસને રોકવા માટે સરકારનો મોટો નિર્ણય

પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની સંભવિત નિકાસને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને વિગતવાર માહિતી આપી હતી.

બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવશે નહીં

મંત્રાલયે રવિવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે હવે 1200 ડોલર પ્રતિ ટનથી ઓછી કિંમતના બાસમતી ચોખાની દેશમાંથી નિકાસ કરવામાં આવશે નહીં અને મંત્રાલય દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. ભવિષ્યમાં, APEDAના ચેરમેન આવા નિકાસ સોદાઓની ચકાસણી માટે એક સમિતિની રચના કરશે, જે આ સોદાઓની આકારણી કર્યા પછી જ નિકાસને મંજૂરી આપશે.

ડાંગરના પાકને ઘણું નુકસાન થયું

આ વર્ષે દેશમાં કમોસમી વરસાદ, પૂર અને અલ-નીનોના કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. એટલા માટે સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હેરાફેરીની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકારે હવે પસંદગીના બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : આમ્રપાલીના 1100 ફ્લેટ ખરીદનારા કોણ છે જેમને કોર્ટે નોટિસ ફટકારી છે, 15 ઓક્ટોબર સુધીમાં કરવું પડશે આ કામ

બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ

ગયા મહિને જ્યારે ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં ચોખાના બ્લેક માર્કેટિંગના વીડિયો સામે આવ્યા હતા. રિટેલ સ્ટોર્સની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. એક પરિવારને 9 કિલો ચોખાના મર્યાદિત સપ્લાયનો નિયમ પણ ઘણા સ્ટોર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દુબઈ અને ખાડી દેશોમાં ચોખાની નિકાસ અને પુનઃ નિકાસ પર પ્રતિબંધ હોવાના અહેવાલો છે. બજારમાં બાસમતી ચોખાની નિકાસ પર આવા પ્રતિબંધની શું અસર થશે, તે હજુ બહાર આવ્યું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">