કેમ ભાગેડું નીરવ મોદીનું ઘર તોડવા માટે હવે વૈજ્ઞાનિકોની લેવી પડશે મદદ ?
કરોડોનું બેન્કિંગ કૌભાંડ કરી ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીના ઘરને તોડવામાં પણ વધુ એક વિઘ્ન આવી રહ્યું છે. રાયગઢમાં આવેલા નીરવ મોદીના ઘરને તોડવાનું કામ થોડાં દિવસ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે, મોદીનું ઘર તોડવા માટે પહોંચેલું JCB મશીન અને પોકલેન મશીન નિષ્ફળ રહ્યું છે. […]
કરોડોનું બેન્કિંગ કૌભાંડ કરી ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીના ઘરને તોડવામાં પણ વધુ એક વિઘ્ન આવી રહ્યું છે. રાયગઢમાં આવેલા નીરવ મોદીના ઘરને તોડવાનું કામ થોડાં દિવસ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે, મોદીનું ઘર તોડવા માટે પહોંચેલું JCB મશીન અને પોકલેન મશીન નિષ્ફળ રહ્યું છે. બંગ્લાની દીવાલો એટલી મજબૂત છે કે તેને તોડવા માટે વિસ્ફોટ કરવાની જરૂર પડે તેમ છે.
આ માટે બંગ્લામાં કંટ્રોલ બ્લાસ્ટ કરાવતા પહેલા અંદર લાગેલી કિંમતી વસ્તુઓ બહાર કાઢવામાં આવશે અને તેની નિલામી કરવામાં આવશે. જો કે બંગ્લામાં બ્લાસ્ટ કરવા માટે મુંબઇ હાઇકોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. જેના માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં એન્જીનિયર્સને બોલાવવામાં આવ્યા છે. તેમના મંતવ્ય અનુસાર બંગ્લાને તોડવા માટે કંટ્રોલ બ્લાસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : રામ મંદિર પર ધર્મ સંસદની હુંકાર, 21 ફેબ્રુઆરીથી કોઈ પણ સંજોગોમાં શરૂ થશે મંદિરના નિર્માણનું કામ
અત્રે નોંધનીય છે કે, નીરવ મોદીનો અલીબાગ ખાતેનો બંગ્લો આશરે 20 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તંત્રએ બંગલાની અંદર મળનારા કિંમતી સામાનની હરાજી કરીને મહત્તમ રકમ મેળવવા માંગે છે. નીરવ મોદીના ગેરકાયદેસર બંગલાને પાડી દેવાનું કામ 25 જાન્યુઆરીની સાંજે શરૂ કરવામાં આવ્યું હતું.
[yop_poll id=”915″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]