AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PIB Fact Check : શું મકાન અને દુકાનના ભાડા ઉપર 12% GST લાગશે? જાણો સરકારનો જવાબ

PIBએ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવતી પોસ્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. PIBએ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ શેર કરવાથી બચવું જોઈએ.

PIB Fact Check : શું મકાન અને દુકાનના ભાડા ઉપર 12% GST લાગશે? જાણો સરકારનો જવાબ
FM Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:55 AM
Share

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા Goods and Services Tax – GST વસૂલવા જઈ રહી છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે GST કાઉન્સિલની આગામી બેઠકમાં 12 ટકા GST ટેક્સનો નિયમ લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તસવીર જોડાયેલ છે. જો કે, સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે અને તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. સરકારી પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેક(PIB Fact Check)માં કહ્યું છે કે નાણામંત્રીએ જીએસટીને લઈને આવો કોઈ નિર્ણય લીધો નથી.

તે સાચું છે કે GST કાઉન્સિલની બેઠકો સમયાંતરે યોજાય છે જેમાં GST સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ એવા કોઈ સંકેત નથી કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા GST વસૂલવાનું વિચારી રહી છે. GSTની બેઠકમાં ઘણી વખત GSTના દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આવું પણ અનેક પ્રસંગોએ જોવા મળ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યારેક ફેક મેસેજ પણ ફરતા થાય છે. 12 ટકા જીએસટી સાથેનો મેસેજ પણ આ જ શ્રેણીનો છે.

સરકારે શું કહ્યું

વાયરલ મેસેજમાં ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા GST લાદવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે મકાનમાલિકોમાં ચિંતા વધી ગઈ છે. આ ચિંતાને દૂર કરતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે 12 ટકા જીએસટી લાદવાની કોઈ યોજના નથી અને સરકારી સ્તરે આવી કોઈ તૈયારી નથી. સરકાર વતી પીઆઈબીએ પોતાના ફેક્ટચેક ટ્વીટમાં લખ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. PIB ફેક્ટ ચેક ટીમના જણાવ્યા અનુસાર, નાણામંત્રીએ GST કાઉન્સિલની આગામી બેઠક અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી.

વાયરલ મેસેજ

PIBએ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવતી પોસ્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. PIBએ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ શેર કરવાથી બચવું જોઈએ.

GST નો નિયમ શું છે?

GST ફક્ત ત્યારે જ લાગુ થાય છે જ્યારે તે મકાન વાણિજ્યિક હેતુઓ માટે ભાડે આપવામાં આવે. કોઈપણ કોમર્શિયલ જગ્યા કે જે ભાડા પર આપવામાં આવે છે, તે 18 ટકાના દરે GSTને પાત્ર છે. કરપાત્ર મૂલ્ય પર 18% કર લાદવામાં આવે છે અને તેને સેવાના કરપાત્ર પુરવઠા તરીકે ગણવામાં આવે છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ફરી મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા

આ પણ વાંચો :  આ બેંકો આપી રહી છે 7% કરતા ઓછા દરે Home Loan, જાણો કઈ બેંકમાં મળશે સૌથી સસ્તી લોન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">