AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office નું આ ખાતું બેંક જેવી સુવિધાઓ આપશે, જાણો વિગતવાર

પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ગ્રાહકોને એક કેલેન્ડર વર્ષમાં 10 પાંદડા સુધીની મફત ચેકબુક મળે છે. તેના માટે કોઈ ચાર્જ નથી.ત્યારબાદ ચેકબુકના પત્તા દીઠ રૂ.2 ચૂકવવાના રહેશે.

Post Office નું આ ખાતું બેંક  જેવી સુવિધાઓ આપશે, જાણો વિગતવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 9:25 AM
Share

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં એક કરતાં વધુ સ્કીમ છે. આ યોજનાઓ કોઈપણ જોખમ વિના નાની બચતને મોટી બનાવવામાં અસરકારક છે. સેવિંગ્સ એકાઉન્ટ, રિકરિંગ અને ટર્મ ડિપોઝિટ આ તમામ સુવિધાઓ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ ખાતાઓ પર પોસ્ટ ઓફિસના ગ્રાહકોનું વ્યાજ મોટી કોમર્શિયલ બેંકોના વ્યાજ જેટલું અથવા વધુ રહે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સની એક મોટી ખાસિયત એ છે કે તેમાં જમા કરવામાં આવેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. બેંકોની જેમ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આ ખાતું કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલવાની સુવિધા છે. પોસ્ટ ઓફિસના બચત ખાતા પર ખાતાધારકને વાર્ષિક 4 ટકા વ્યાજ મળે છે.

બેંકોની જેમ ચેકબુક ઉપલબ્ધ કરાવાય છે

પોસ્ટ ઓફિસની વેબસાઈટ મુજબ ખાતાધારકોને પોસ્ટ ઓફિસમાં બચત ખાતા પર બેંકોની જેમ ATM, ચેકબુક, ઈ-બેંકિંગ/મોબાઈલ બેંકિંગ જેવી સુવિધાઓ મળે છે. આ સિવાય પોસ્ટ ઓફિસના ગ્રાહકો બચત ખાતા, અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) પર આધાર સીડિંગનો પણ લાભ લઈ શકે છે. આ સુવિધાઓ મેળવવા માટે, ફોર્મ ભરીને શાખામાં સબમિટ કરવાનું રહેશે. આ ખાતા વિશે જાણો કે જો ખાતામાં સતત ત્રણ નાણાકીય વર્ષ સુધી કોઈ જમા કે ઉપાડ નહીં થાય તો ખાતું નિષ્ક્રિય થઈ જશે.

10 પેજની ચેકબુક ફ્રી મળશે

પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ગ્રાહકોને એક કેલેન્ડર વર્ષમાં 10 પાંદડા સુધીની મફત ચેકબુક મળે છે. તેના માટે કોઈ ચાર્જ નથી.ત્યારબાદ ચેકબુકના પત્તા દીઠ રૂ.2 ચૂકવવાના રહેશે. આ સિવાય સેવાઓ માટે લાગુ કર (GST) ચૂકવવો પડશે. બીજી તરફ, જો તમારો ચેક બાઉન્સ થાય છે  તો તમારે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આના પર પણ સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

મેન્ટેનન્સ ફી પણ ચૂકવવી પડશે

પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવી શકાય છે. આ ખાતું રૂ.10 ના ગુણાંકમાં હોવું જોઈએ. આ ખાતાની ખાસિયત એ છે કે તેમાં ઓછામાં ઓછા 50 રૂપિયા ઉપાડી શકાય છે. જો કે, ધ્યાન રાખો કે જો તમારા ખાતામાં રૂ. 500 કરતા ઓછા હોય, તો તમે ઉપાડી શકતા નથી. જો નાણાંકીય વર્ષના અંત સુધીમાં ખાતામાં મિનિમમ બેલેન્સ રૂ. 500 નથી, તો ખાતાની જાળવણી ફી તરીકે ખાતામાંથી રૂ. 50 કાપવામાં આવશે. બીજી બાજુ, જો ખાતામાં બેલેન્સ શૂન્ય થઈ જાય તો ખાતું આપોઆપ બંધ થઈ જશે.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">